
– નાણા મંત્રાલય-રિઝર્વ બેન્ક વચ્ચે ચાલતી ગહન ચર્ચા
– સરકારી બેન્કો પાસે 171 લાખ કરોડની એસેટ્સ કેનેરા બેન્કમાં સૌથી વધુ 12 ટકા વિદેશી મૂડીરોકાણ
– ખાનગી બેન્કોમાં 74 ટકા સુધી વિદેશી રોકાણની છૂટ તો સરકારી બેન્કોમાં 20 ટકા સુધી જ રોકાણની મંજૂરી
નવી દિલ્હી : ભારત તેની સરકારી બેન્કોમાં વિદેશી રોકાણની મર્યાદા હાલના ૨૦ ટકાથી વધારી ૪૯ ટકા સુધી કરવાનું આયોજન કરી રહ્યું છે, એમઆ નીતિગત હિલચાલ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. નાણા મંત્રાલય આ મુદ્દે છેલ્લા કેટલાક મહિનાઓથી રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કરી રહ્યું છે. જો કે હજી સુધી આ માટેની દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.










