![]()
વડોદરા, કાનમાં છેદ કરવાથી હનયા, અસ્થમા તથા હાઈડ્રોસિલ જેવા રોગ મટી શકે તેવી ગેરમાન્યતાઓના કારણે કેટલીક વખત દર્દી તકલીફમાં મૂકાઇ જાય છે. આવો જ એક કિસ્સો સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો.
સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું છે કે, ગામડાઓમાં કેટલાક લોકો આવા દર્દીના કાનના કડક ભાગમાં વિચ્છેદ કરે છે. પરંતુ, આવું કરાવાથી ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. જેને પેરિકોન્ડ્રાઈટિસ કહે છે. તેની સારવાર પણ ઘણી મુશ્કેલ હોય છે. આવા કિસ્સામાં કાનનો આકાર બદલાઈ જવો, લાલ થઈ જવું, કાન ફૂલી જવો, કોલીફ્લાવર ઈયર સહિતની સમસ્યાઓ દર્દીને થતી હોય છે.કેટલીક મહિલાઓ ફેશનના ભાગરૃપે પણ કાનમાં છેદ કરાવતી હોય છે. જેમા કાનની પાછળથી કિલોઈડ થવાની શક્યતાઓ રહેલી છે. આવા જ એક દર્દી અરવિંદભાઇ રાઠવા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓને પેટમાં દુખાવો થતા ગામના ભૂવાએ કાનમાં કાણું પાડયું હતું. જેના કારણે તેઓને કાનમાં તકલીફ વધી જતા સયાજીમાં સારવાર લેવી પડી હતી.










