![]()
અમદાવાદ,રવિવાર
ગુજરાતમાં મેડીકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલિક સ્થિતિમા મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. આજથી જનરક્ષક હેઠળ ૧૧૨ ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની આપાતકાલિન સેવા માટે ૧૧૨ નંબર ડાયલ કરવાનો રહેશે. આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કોલ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં ૧૫૦ જેટલા ુપોલીસ કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. સાથેસાથે ૫૦૦ જેટલી ૧૧૨ જનરક્ષક વાનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં મેડીકલ ઇમરજન્સી માટે ૧૦૮, પોલીસ માટે ૧૦૦, ફાયર બ્રિગેડની સેવા માટે ૧૦૧, અભયમ હેલ્પલાઇન માટે ૧૮૧, તેમજ અન્ય આપાતકાલિન સ્થિતિ માટે અલગ અલગ નબર ડાયલ કરવાના રહેતા હતા. જો કે હવે રાજ્યના નાગરિકોને અલગ અલગ સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંી મુક્તિ મળી છે અને ૧૧૨ નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓનો લાભ લઇ શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અંમિત શાહે ગાઁધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં ૧૧૨ જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મુકી હતી. સાથેસાથે ુપોલીસ હાઉસીંગના આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાયલ ૧૧૨ માટે અમદાવાદ ખાતે એક કોલ સેન્ટર શરૂ કરાયુ છે. જે કોલ રીસીવ કરીને તુરંત પ્રતિક્રિયા આપીને જે તે સેવા પહોંચતી કરવા માટે જાણ કરશે. આ ઉપરાંત, દરેક જિલ્લાઓમાં ૧૧૨ જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનનું રીયલ ટાઇમ મોનીટરીંગ કરશે. ગુજરાત પોલીસના બેડામાં નવી ૫૦૦ વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે. ૧૧૨ જનરક્ષક સેવાને ૧૦૮ મેડીકલ ઇમરજન્સીના મોડલના આધારે સંચાલિત કરીને વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં કોલ સેન્ટરનો વ્યાપ વધશે.










