![]()
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના વિશ્વામિત્રી-ડભોઈ સેક્શન પર પ્રતાપનગર સ્ટેશન યાર્ડ ખાતે રિમોડેલિંગમાટે એન્જિનિયરિંગ બ્લોક લેવાશે. જેથી એકતાનગર – પ્રતાપનગર મેમુ, પ્રતાપનગર – એકતાનગર મેમુ, છોટા ઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર અને પ્રતાપનગર – છોટા ઉદેપુર પેસેન્જર ટ્રેન તા.૯ થી ૧૩ નવેમ્બર સુધી રદ્દ રહેશે. આ ફેરફારને ધ્યાનમાં રાખી મુસાફરી કરવા રેલવે વિભાગની અપીલ છે.










