![]()
ઈજાગ્રસ્તને
હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
સોસાયટીમાં
પાછળના ભાગે આવેલ રસ્તો બંધ કરી દેતા મામલો બીચક્યો હતો
ભાવનગર –
બોટાદના ગઢડા રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા બે
ભાઈએ સોસાયટીમાં પાછળના ભાગે આવેલ રસ્તો (ખંચાળી)ને આડાશ મૂકી બંધ કરી દેતા એક
મહિલા સહિત પાંચ લોકોએ તલવાર અને લાકડાના ધોકા વડે બે ભાઈ અને બનેવીને માર મારી
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બોટાદના
ગઢડા રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા સુનિલભાઈ ભુપતભાઈ કટોસણા તથા તેમના
ભાઈ અશોકભાઇએ પોતાના ઘરની સામે આવેલ ખંચાળીને આડાશ મૂકી બંધ કરી દેતા જયંતી
નાનજીભાઇ રેલીયા, વર્ષાબેન જયંતીભાઈ રેલીયા, જયંતીનો દિકરો ભદુ,
જયંતીના ભાઈનો દિકરો અશ્વીન, જયંતીનો જમાઇને
નહીં ગમતા સુનિલભાઈ તથા તેનાભાઇ અશોકભાઈને ગાળો આપી લાકડાના ધોકા તલવાર વડે માર
મારી ઈજા પહોચાડી હતી દરમિયાનમાં ભદુએ સુનિલભાઈને કાને બચકું ભરી ઇજા પહોંચાડી
હતી. સુનિલભાઈના બનેવી ઈલેશભાઈને તલવાર વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સુનિલભાઈએ એક
મહિલા સહિત પાંચ લોકો વિરૃધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.










