
– મુખ્ય ન્યાયાધિશે બુલડોઝર જસ્ટિસની ટીકા કરતા ચુકાદાનાં વખાણ કર્યા
– સત્તાનો ઉપયોગ ભેદભાવ માટે નહીં પણ નિષ્પક્ષ સ્વરૂપે થવો જોઇએ, કાયદાનું શાસન માત્ર નિયમો નહીં માર્ગદર્શક પણ છે
નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ મોટું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભારત બુલડોઝરથી નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે. આ સાથે જ મુખ્ય ન્યાયાધીશ ગવઇએ બુલડોઝર જસ્ટિસની ટિકા કરનારા પોતાના જ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો.










