gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Bengal to get 100 Cr ‘Bengali Ram’ Mandir in Nadia : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર-મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે ‘બંગાળી રામ’ની થીમ પર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.

‘બંગાળી રામ’ની થીમ અને સાંસ્કૃતિક મહત્ત્વ

આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિર 15મી સદીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા રચિત બંગાળી રામાયણ ‘શ્રીરામ પંચાલી’થી પ્રેરિત હશે. કૃત્તિબાસ ઓઝાની રામાયણ આજે પણ દરેક બંગાળી ઘરમાં શ્રદ્ધાપૂર્વક વાંચવામાં આવે છે. આ જ ‘બંગાળી રામ’ની વિભાવનાને કેન્દ્રમાં રાખીને શાંતિપુરમાં વિશાળ રામ મંદિર અને હેરિટેજ સેન્ટર બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

ભાજપ નેતા છે ટ્રસ્ટના અધ્યક્ષ

શ્રી કૃત્તિબાસ રામ મંદિર ટ્રસ્ટ, જે એક રજિસ્ટર્ડ ધાર્મિક અને જનકલ્યાણકારી સંસ્થા છે, આ મંદિરનું નિર્માણ કરાવી રહ્યું છે. આ પ્રોજેક્ટની ઔપચારિક શરુઆત રવિવારે ટ્રસ્ટના સભ્યો દ્વારા જમીનના અંતિમ સર્વેક્ષણ સાથે કરવામાં આવી. આ ટ્રસ્ટના અધ્યક્ષ શાંતિપુરના પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય છે, જેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે NDTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમે 2017થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ, આ કોઈ ચૂંટણી પ્રોજેક્ટ નથી.”

100 કરોડનો પ્રોજેક્ટ, 2028 સુધીમાં થશે તૈયાર

અરિંદમ ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ મંદિર માટે 15 બીઘા જમીન સ્થાનિક રહેવાસીઓ લિતન ભટ્ટાચાર્ય અને પૂજા બેનર્જીએ દાનમાં આપી છે. આ મંદિરનું નિર્માણ 100 કરોડ રૂપિયાના ખર્ચે 2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર સાથે સંકળાયેલા વૈદિક વિદ્વાન અર્જુન દાસતુલાને મંદિરના સત્તાવાર સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર, મેડિકલ કૉલેજ, એન્જિનિયરિંગ કૉલેજ અને એક સંશોધન કેન્દ્ર સ્થાપવાની પણ યોજના છે.

રાજકીય વિવાદ અને ટ્રસ્ટની સ્પષ્ટતા

આ મંદિર નિર્માણની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં મંદિર-મસ્જિદની રાજનીતિ ચરમસીમાએ છે. જોકે, ટ્રસ્ટનો દાવો છે કે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સાંસ્કૃતિક અને ધાર્મિક છે. અરિંદમ ભટ્ટાચાર્યે કહ્યું કે, “આમાં રાજનીતિનો કોઈ સંબંધ નથી. પરંતુ જો સરકાર મદદ કરવા માંગે તો અમે સ્વાગત કરીશું. આ વિરાસત અને સંસ્કૃતિનો પ્રોજેક્ટ છે.” શાંતિપુર ઐતિહાસિક રીતે ચૈતન્ય મહાપ્રભુ અને ભક્તિ આંદોલનનું કેન્દ્ર રહ્યું છે, અને આ મંદિર આ ક્ષેત્રને એક નવું ધાર્મિક અને સાંસ્કૃતિક પરિમાણ આપી શકે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Buildcon Solution: Transforming Construction Project Management Through Real-Time Digital Technology

Buildcon Solution: Transforming Construction Project Management Through Real-Time Digital Technology

Society book

SolutionSociety Management App in Ahmedabad, Gujarat & India – A Complete Digital

‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’, અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ | Shankarachary…

'નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું...', અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ | Shankarachary...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

1 year ago
કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

11 months ago
સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

2 months ago
શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

1 year ago
કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

11 months ago
સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

2 months ago
શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News