![]()
– બિસ્માર રોડનું રીપેરિંગ હાથ ધરવા માંગ
– રોડ પર દિવસ-રાત ઓવરલોડ વાહનો પસાર થતાં ઠેરઠેર ગાબડા પડયા
સુરેન્દ્રનગર : મુળી શહેરના મુખ્ય દરવાજાથી પુલ સુધીનો સીસી રોડ બિસ્માર બનતા સળિયા બહાર નીકળી આવ્યા છે જેના કારણે અકસ્માતનું જોખમ ઉભું થયું છે. જાગૃત નાગરિકે બિસ્માર રોડનું તાત્કાલીક સમારકામ કરાવવાની માગ કરી છે.
મુળી શહેરના મેઈન દરવાજાથી પુલના છેડા સુધી સીસી રોડ પર ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે તેમજ સળીયાઓ પણ બહાર નીકળી ગયા છે. જેના કારણે ગમે ત્યારે અકસ્માત થાની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત રોડની આજુબાજુ બાવળો ઉગી નીકળ્યા છે. થાન તાલુકા અને હળવદ તાલુકાના તેમજ સરા ગામને જોડતા આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે તેમજ મુળી ખાતે માંડવરાયજી દાદાનું અને સ્વામી નારાયણનું મંદિર આવેલ હોય પ્રવાસીઓની પણ ભીડ રહેતી હોય છે આ ઉપરાંત ઓવરલોડીંગ વાહનો પસાર થતાં હોવાથી વારંવાર સીસી રોડને નુકસાન પહોંચે છે. કોઈ મોટી દુર્ધટના કે જાનહાની થાય તે પહેલા સીસી રોડનું રીપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ સાથે મુળીના જાગૃત નાગરિક અશોકસિંહ પરમાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખીત રજુઆત કરી છે.










