
UP News : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યોગીની ‘ઝીરો ટોલરન્સ’ નીતિની અસર દેખાય છે. યુપી રાજ્ય ગુનેગારોનું ગઢ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મિશન શક્તિ ફેઝ-5 દ્વારા સરકારે મહિલાઓ, બાળકો અને સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ‘દસ કે દમ’ નામના 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની કમર તોડી છે.
યુપી સરકાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 અભિયાન શરૂ કર્યા છે. જેમાં ઓપરેશન ત્રિનેત્ર, મજનૂ, ગરુડ, બચપન, ખોજ, રક્ષા, શીલ્ડ, ડેસ્ટ્રાય અને વ્યસન મુક્તિનો સમાવેશ થાય છે.










