
India Railway Ticket New Rule: ભારતીય રેલવે પ્રવાસીઓ માટે એક મોટો સુધાર લઈને આવી રહ્યું છે, જેના કારણે હવે કન્ફર્મ રેલવે ટિકિટની તારીખ બદલવાની સુવિધા મળી રહેશે. આ ફેરફારનો સૌથી મોટો ફાયદોએ છે કે ટિકિટની તારીખ બદલવાથી પ્રવાસીઓ પાસેથી કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે નહીં.
એટલે કે, જો કોઈ કારણસર તમારી 20 નવેમ્બરની અમદાવાદની કન્ફર્મ ટિકિટનો પ્રવાસ 5 દિવસ લંબાય, તો નવી ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. તમે 20 નવેમ્બરની તમારી કન્ફર્મ ટિકિટને ઓનલાઈન રિ-શેડ્યુલ કરીને 25 નવેમ્બરના રોજ અમદાવાદ જઈ શકશો.










