![]()
જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ મકવાણા નામના 33 વર્ષના દલિત યુવાને પોતાના ભાઈ રવજીભાઈ ઉપર સરપંચ પદની જૂની ચૂંટણીના મનદુ:ખના કારણે લોખંડના પાઇપ, સળીયા, છરી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિનો છે, તેવું જાણતા હોવા છતાં સમાજમાં હલકા પાડવા માટે પોતાના જ ગામના જગદીશ ઉર્ફે જગાભાઈ ભરવાડ, મનાભાઈ પાલાભાઈ ભરવાડ, પ્રફુલ પુંજાભાઈ ભરવાડ, રામાભાઇ સેજાભાઈ ભરવાડ, સેજાભાઈ ભરવાડ, અને મનાભાઈ નો પુત્ર વગેરે છ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સરપંચ પદની ચૂંટણીમાં જગાભાઈ ભરવાડ ઉમેદવાર હતા, ત્યારે તેઓને ચૂંટણીમાં સાથ ન આપવા બાબત ફરિયાદી ના ભાઈ રવજીભાઈ સાથે તકરાર કરાઈ હતી અને ત્યારબાદ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે હુમલા તેમ જ એસ્ટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










