![]()
Vadodara : વડોદરા શહેરના છેવાડે કપુરાઈ ટાંકી ખાતેથી વિસ્તારમાં તા.23મીએ સાંજનું પાણી મળશે નહીં. તંત્ર દ્વારા હાલની ડીલેવરી પાણીની લાઈન સાથે જોડાણની કામગીરી કરવાની હોવાથી આ વિસ્તારના 50 હજાર લોકોને ભર ઉનાળે પાણી વિના તરસ્યા રહેવાનો અને બીજા દિવસે ઓછા દબાણથી ઓછો સમય પાણી મળતા સર્જાશે.
ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકાના પાણી પુરવઠા શાખાની કપૂરાઈ ટાંકી ખાતે હાલની 600 મીમી ડીલેવરી પાણીની લાઈન સાથે જોડાણની કામગીરી સોમવાર, તા.23મીએ કરવાની છે. જેથી આ ટાંકી વિસ્તારના લોકોને જે તે દિવસે તા.23મીએ સાંજનું પાણી મળશે નહીં તથા બીજા દિવસે તા.24મીએ મંગળવારે સવારનું પાણી નિયત સમય કરતા મોડેથી અને ઓછા દબાણથી ઓછા સમય માટે અપાશે. એજ પ્રમાણે વડોદરા શહેરના ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે મુખ્ય ફીડર લાઈનમાં ફ્લો મીટર ફીટીંગની કામગીરી અંગે તા.23મીએ ઝોનના તમામ વિસ્તારમાં સાંજનું ઓછો સમય, ઓછા પ્રેશરથી અપાશે.
ઉલ્લેખનીય છે કે, શહેરના ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 મીમી વ્યાસની મુખ્ય લાઈનમાં ફ્લો મીટર મીટીંગની કામગીરી તા.23મીએ સવારના પાણી આપવાના સમય બાદ કરવામાં આવશે. જેથી ગાયત્રી નગર ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં તા.23 સાંજે તમામ ઝોનમાં પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી, ઓછો સમય અપાશે જેથી પાણીનો સંગ્રહ કરી લેવા કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.










