![]()
Vadodara : વડોદરાની ગાજરાવાડી ટાંકી વિસ્તારથી પાણી મેળવનારાઓને આગામી તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે નહીં. જોકે સમગ્ર શહેરમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં તંત્ર આપી શકતું નથી ત્યારે ગાજરાવાળી ટાંકીથી પાણી મેળવતા તમામ વિસ્તારના લોકોને નિયત દિવસ માટે પાણીનો જરૂરી સંગ્રહ કરી લેવા કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગાજરાવાળી ટાંકી ખાતે ભૂગર્ભ બે સંપની સફાઈની અગત્યની કામગીરી અંગે તા.7, ગુરુવારે સવારે પાણી અપાયા બાદ કાર્યવાહી શરૂ કરવાનું આયોજન છે પરિણામે ગાજરાવાળી ટાંકીના કમાન વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે 5-30થી 6-30ના ઝોન (પાણી મેળવતા તમામ વિસ્તાર)માં પાણી આપવામાં આવશે નહીં. આ કામગીરી પૂરી થયા બાદ બીજા દિવસે તા.8, શુક્રવારે સવારે તમામ ઝોનમાં પાણી આપવાનું ગાજરાવાડી ટાંકીથી કાપ મૂકીને ઓછા દબાણથી અપાશે જેથી સ્થાનિક રહીશોએ અગમ ચેતીના ભાગરૂપે જરૂરી પાણીનો સંગ્રહ કરવા કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું હતું.









