અમદાવાદ,શુક્રવાર,28 નવેમ્બર,2025
બોડકદેવ વોર્ડમાં રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી વસ્ત્રાપુર
લેક રીડેવલપ કરવામા આવ્યુ છે. રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ફરીથી મુલાકાતીઓ માટે
લેક ખુલ્લુ મુકવામા આવશે. ૧ જાન્યુઆરી-૨૦૨૬થી આ લેકની મુલાકાત લેનારાઓએ રુપિયા દસ
એન્ટ્રી ફી પેટે આપવા પડશે.
શહેરમા આવેલા ગોટીલા અને મોન્ટે કાર્લો ગાર્ડન પછી હવે
વસ્ત્રાપુર લેકના મુલાકાતીઓ માટે એન્ટ્રી ફી નકકી કરાઈ છે. રીક્રીએશન કમિટીના
ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ,
સવારના ૬થી ૧૦ કલાક સુધી તમામને ફ્રી એન્ટ્રી અપાશે. બપોરે ૧૨થી ૨ કલાક લેક
બંધ રહેશે.બપોરના બેથી રાતના દસ કલાક સુધી આ લેકની લોકો મુલાકાત લઈ
શકશે.કોન્ટ્રાકટર ઉમિયા વિજય ઈન્ફ્રા દ્વારા આ લેકના રીડેવલપમેન્ટની કામગીરી
કરવામા આવી છે.તળાવના નરસિંહ મહેતા ગેટ,
કલ્યાણ પુષ્ટિ ગેટ તથા શહીદ ચોક ગેટ નવા ડેવલપ કરવામા આવ્યા છે.હાલમા ત્રણ નવા
ફુવારા ઉપરાંત અપર વોક વે અને લોઅર વોક વે વચ્ચેના ત્રણ નવા ગજેબો ડેવલપ કરવાની
કામગીરી ચાલી રહી છે.










