![]()
જુની વસ્તુ અને ફાટેલી નોટો બદલાવવાનો ધંધો કરતા
ત્રણ શખ્સોએ ગળે છરી રાખી લૂંટ ચલાવી ધમકી આપી, નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર: શહેરના ધમધમતા એવા જશોનાથ ચોક વિસ્તારમાં ગત રાત્રિના ગળે છરી રાખી વેપારી સાથે રૂ. પાંચ હજારની લૂંટ કરવાનો ચકચારી બનાવ બન્યો છે. આ લૂંટને અંજામ આપનારા ત્રણ શખ્સો સામે નિલમબાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
સિહોરની સોની બજારમાં રહેતા અને ભાવનગરમાં જુની વસ્તુ અને ફાટેલી નોટો બદલવાનો ધંધો કરતા અશોકભાઈ પોપટભાઈ શાહ ગત રાત્રિના ૯.૩૦ કલાકના અરસામાં તેમનું નોટો બદલાવવાનું કામ પૂર્ણ કરી સિહોર જવા માટે નિકળ્યા હતા અને જશોનાથ ચોક સર્કલમાં પીલગાર્ડનના દરવાજા પાસે વાહનની રાહ જોઈ બેઠા હતા ત્યારે સંજય, શ્યામ અને ફારૂક નામના ત્રણ શખ્સો તેમની પાસે આવી છરી બતાવી તેમનું મોઢું દબાવી ગળે છરી રાખી ખીસ્સામાં રાખેલા રોકડા રૂ.૫૦૦૦ની લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. બનાવ અંગે અશોકભાઈ પોપટભાઈ શાહે નિલમબાગ પોલીસ મથકમાં સંજય, શ્યામ અને ફારૂક નામના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.










