અમદાવાદ,રવિવાર
સાયબર ક્રિમીનલ શેરબજારમાં રોકાણ, ડીજીટલ એરેસ્ટ તેમજ અન્ય મોડ્સ ઓપરેન્ડીથી ટારગેટ કરીને નાણાં પડાવે છે. ત્યારે લોકોને સંતર્ક રહેવા માટે પોલીસ દ્વારા સતત સુચના આપવામાં આવે છે. પરંતુ, રોકાણ પર અનેક ગણો નફો કમાવવા માટેની લાલચમાં કે ડીજીટલ એરેસ્ટથી ડરીને લોકો લાખો કરોડો પિયા ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. શનિવારે અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઇડી ક્રાઇમમાં નોઁધાયેલી વિવિધ ચાર ફરિયાદોમાં ફરિયાદીઓએ કુલ પાંચ કરોડ જેટલી રકમ ગુમાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં વાપીના એક વેપારીએ ૩.૦૪ કરોડ જેટલા નાણાં ગુમાવ્યા હતા.
વાપી જીઆઇડીસીમાં કેમીકલ ફેક્ટરી ધરાવતા ૬૬ વર્ષીય જગદીશભાઇ પરમારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ચાર મહિના પહેલા તેમને ફેસબુક મહેક નામના યુવતીની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી હતી. યુવતીએ પોતાની ઓળખ ફેશનડીઝાઇનર તરીકે આપીને મુંબઇમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. થોડા દિવસ તેણે જગદીશભાઇ સાથે મેસેજથી વાત કરી હતી. તેણે ઓનલાઇન સ્ટોર પર દરરોજ જરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરીને અનેકગણો નફો મળતો હોવાની વાત કરી હતી. જેથી વિશ્વાસ કરીને જગદીશભાઇએ ૨૩ સપ્ટેમ્બરથી ૧૩ નવેમ્બર દરમિયાન અલગ અલગ સમયે કુલ ૩. ૦૪ કરોડનુ ંરોકાણ કર્યું હતું. આ રોકાણની સામે તેમને પાંચ કરોડનો નફો બતાવવામાં આવ્યો હતો. કોઇ કારણસર તેમને સ્ટોર બંધ કરવાનો હોવાથી મહેકને કહેતા તેણે નફો ઉપાડવાના સામે ૪૩ લાખ પ્રોસેસીંગ ફી માંગી હતી. ત્યારબાદ અચાનક જગદીશભાઇનું આઇડી ફ્રીઝ કરીને તેમના મોબાઇલ નંબર બ્લોક કરી દીધા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શ કરી છે.
એક કરોડ પિયાની અન્ય છેતરપિંડીના કેસમાં નાના ચિલોડામાં આવેલા દેવગ્રામ પરિજાતમાં રહેતા સ્વતંત્રભાઇ યાદવે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ ફેસબુક પરથી ઇશીતા અરોરા નામની યુવતીની ફ્રેન્ડશીપ રીકવેસ્ટ આવી હતી. તેણે ફેશન ડીઝાઇનર હોવાનું અને બોપલમાં તેનું ઘર છે તેમ કહ્યું હતું. થોડા દિવસ વાત કરીને સ્વતંત્રભાઇને તેણે ઇટ્રો ટ્રેડીંગના વ્યવસાયની વાત કરીને ૫૦ હજારનું રોકાણ કરાવીને તેમાં એક જ દિવસમાં ૧૦૦ ડોલરનો નફો આપ્યો હતો. ત્યારબાદ ૬ ઓક્ટોબર થી ૪ ડિસેમ્બરના સમયગાળામાં કુલ ૧.૦૫ કરોડનું રોકાણ કરાવ્યું હતું. જેની સામે વોલેટમાં ૨.૨૪ કરોડનો નફો દર્શાવવામાં આવ્યો હતો. આ નફો મેળવવા ૬૦ લાખ જમા કરાવવાનું કહેતા સ્વતંત્રભાઇને શંકા ગઇ હતી અને તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી.
શેરબજારના નામે છેતરપિંડીના ફરિયાદમાં નારણપુરામાં આવેલી પરિશ્રમ સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષીય શ્રેણીક શાહને ફેસબુક પર મેસેજ આવ્યો હતો અને જેમાં રીપ્લે કરતા તેમને શેરબજારની ટીપ આપતા વોટ્સએપ ગુ્રપમાં એડ કરાયા હતા. જેમાં રોકાણની સામે સારો નફો દર્શાવવામાં આવતો હતો. જેથી વિશ્વાસ કરીને તેમણે અલગ અલગ બેંક ખાતામાં ૭૫ લાખ જમા કરાવ્યા હતા. જેમાં નફા સાથે દોઢ કરોડ વોલેટમાં હતા. જે ઉપાડવા માટે ૨૧ લાખની પ્રોસેસીંગ ફી માંગતા શ્રેણીકભાઇને શંકા ગઇ હતી અને તેમણે તપાસ કરતા ઠગાઇ થયાનો ખ્યાલ આવ્યો હતો. જે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શ કરવામા આવી છે.તેમજ ચોથા કિસ્સામાં થલતેજ મેપલ ટ્રી ગાર્ડન હોમ્સમાં રહેતા કમલેશભાઇ પ્રજાપતિને ઇસ્ટાગ્રામ પર સીરતકૌર નામના યુવતીની ફ્રેન્ડશીપ રીકવેસ્ટ આવી હતી. સીરત કૌરે જણાવ્યું હતું કે તેનો પરિવાર લંડનમાં રહે છે. વોટસએપથી સંપર્ક કેળવીને વિશ્વાસ કેળવીને ક્રિપ્ટો કરન્સીમાં ૫૩ લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી કરી હતી.










