![]()
– જાન્યુઆરીથી ઓગસ્ટના 8 માસના સમયગાળા દરમિયાન
– ચામડીના વિભાગમાં કુલ 39 હજાર દર્દીઓએ સારવાર મેળવી : સોયાસીસ, વા, રક્તપિત, પેમ્પગિસ જેવા દર્દીઓનું પ્રમાણ વધારે
ભાવનગર : ભાવનગરની સર ટી.હોસ્પિટલના ચામડીના વિભાગમાં સારવાર માટે છેલ્લા આઠ માસના સમયગાળામાં રોજ સરેરાશ ૧૬૩ દર્દીઓ નોંધાયા છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં કુલ ૩૯૭૨૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જેમાં સોયાસીસ, વા, રક્તપિત, પેમ્પગિસ, ધાધાર, રક્તપિત, શિળસ, ખરજવું, ખીલ જેવા ચામડીના રોગોના દર્દીઓનું પ્રમાણ જોવા મળ્યું છે.
સર તખ્તસિંહજી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ડમેટોર્લોજી (ચામડીના વિભાગ)માં જાન્યુઆરીથી જુન સુધીના ૮ મહિનાના સમયગાળામાં સારવાર માટે દરરોજ સરેરાશ ૧૬૩ દર્દીઓ નોંધાયા છે. હોસ્પિટલના ચામડી રોગ વિભાગમાં પેમ્ફગીસ, રક્તપિત, સોયાસીસ, વા, હરપીસ, ધાધર, શિળસ, ખરજવું, ખીલ જેવા ચામડીના રોગના દર્દીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. છેલ્લા ૮ માસમાં કુલ ૩૯૭૨૩ દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પ્રમાણમાં વધારે હોય છે. તેમજ ખાસ કરીને અલંગની આજુબાજુના વિસ્તારમાં લેપ્રસી દર્દીઓ વધારે હોય છે. છેલ્લા આઠ માસના સમયગાળામાં ચામડી વિભાગમાં કુલ ૩૯૭૨૩ દર્દીઓએ સારવાર મેળવી જેમાં સૌથી વધારે જુલાઈ ૬૨૪૪ દર્દીઓ અને સૌથી ઓછા ફેબુ્રઆરી ૪૨૨૫ દર્દીઓ નોંધાયા છે. આ સમયગાળામાં ચામડીના દર્દીઓમાં ગંભીર પ્રકારના દર્દીઓમાં કુલ ૩૮ દર્દીઓને એડમિટ કરીને સારવાર આપવામાં આવી છે. જ્યારે ચામડીના રોગના કુલ ૮૮ મેજર તથા ૨૧૮૦ માઈનોર ઓપરેશન થયાં છે.
છેલ્લા 8 માસમાં ચામડીના વિભાગના દર્દીની વિગત
|
માસ |
ઓપીડી |
આઈપીડી |
મેજર |
માઈનોર |
|
જાન્યુઆરી |
૫૦૧૫ |
૦૮ |
૦૭ |
૨૩૨ |
|
ફેબુ્રઆરી |
૪૨૨૫ |
૦૮ |
૧૬ |
૩૩૦ |
|
માર્ચ |
૪૭૫૧ |
૦૧ |
૧૬ |
૩૧૬ |
|
એપ્રીલ |
૪૬૫૭ |
૦૭ |
૧૪ |
૩૦૨ |
|
મે |
૪૮૭૫ |
૦૮ |
૧૦ |
૨૪૧ |
|
જુન |
૪૮૬૧ |
૦૫ |
૧૩ |
૨૮૯ |
|
જુલાઈ |
૬૨૪૪ |
૦૬ |
૦૭ |
૨૮૨ |
|
ઓગસ્ટ |
૫૦૯૨ |
૦૩ |
૦૫ |
૧૮૮ |
|
કુલ |
૩૯૭૨૩ |
૩૮ |
૮૮ |
૨૧૮૦ |










