gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP’s own MLA raises questions with ange…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP’s own MLA raises questions with ange…
0
VIEWS
Share on FacebookShare on Twitter



વન મંત્રી સમક્ષ રોષ ઠાલવતો ધારીના ધારાસભ્ય કાકડિયાનો પત્ર

‘વનતંત્રએ સમયસર તપાસણી કરી હોત તો સિંહોને બચાવી શકાત’, એવું કહીને વન્યપ્રાણીના હુમલામાં માનવીના મોત માટે પણ વનવિભાગને જવાબદાર ગણાવ્યો

અમરેલી: અમરેલી જિલ્લામાં વિવાદિત લેટરકાંડ બાદ ભાજપમાં જૂથવાદ વારંવાર સામે આવે છે ત્યારે હવે ધારી, બગસરા, ખાંભા મતક્ષેત્રના ભાજપનાં જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રીને પત્ર લખીને તાજેતરમાં થયેલા સિંહો-સિંહબાળના મોત મામલે વન વિભાગની કાર્યરીતિ સામે સવાલો ઉઠાવીને આક્રોશ ઠાલવતા આશ્ચર્ય સર્જાયું છે. ‘વનતંત્રએ સમયસર તપાસણી કરી હોત તો સિંહોને બચાવી શકાત’, એવું કહીને તેમણે વન્યપ્રાણીનાં હુમલામાં માનવીના મોત માટે પણ વનવિભાગને જવાબદાર ગણાવ્યો છે.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લખેલા પત્રમાં ધારાસભ્ય જે.વી. કાકડિયાએ લખ્યું છે કે, ‘પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અને ધારી પૂર્વ ગીર ડિવિઝનમાં છેલ્લા બે માસમાં સિહોના મૃત્યુના બનાવ બનેલ છે. તાજેતરમાં સિંહબાળના મૃત્યુ થયેલ છે. આ મૃત્યુ કોઈ વાયરસના કારણે થયાનું જાણવા મળે છે. વન વિભાગના નિયમોને આધીન ટ્રેકર તેમજ વનવિભાગના અન્ય અધિકારીઓ વન વિસ્તારમાં ફરતા હોય છે. આમ છતાં આ બાબતે આ સિંહબાળ મૃત્યુ ક્યાં કારણોસર થયેલ તેમને ધ્યાને આવેલ નહિ કે સ્થાનિક કક્ષાએથી વન વિભાગને કોઈએ ધ્યાને મુકવામાં આવેલ ન હોઈ તેવું પણ સંભવ છે. આ બાબત અતિ ગંભીર છે. વન્ય પ્રાણીના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા સિંહોની કે સિંહ બાળની જે-તે સમયે તપાસણી કરવામાં આવેલ હોત તો આ સિંહ બાળ કે અન્ય સિંહોના મૃત્યુના બનાવો અટકાવી શકાત.’

વધુમાં તેમણે લખ્યું છે કે, ‘અગાઉ પણ થોડા સમય પહેલા દીપડાના હિંસક હુમાલાના કારણે માનવ અપમૃત્યુના બનાવ બનેલ છે, તેમાં પણ વન વિભાગની નિષ્કાળજી જણાયેલ હતી. વનવિભાગની કામગીરી હાલની તકે સંતોષકારક હોય તેવું જણાતું નથી. સમગ્ર એશિયામાં માત્ર અને માત્ર અમારા ગિર વિસ્તારમાં જ એશિયાટિક સિંહો વસવાટ કરે છે. તેના જતન કે સંવર્ધન અને સુરક્ષાની બાબત માત્ર વન વિભાગની જ નહિ પણ આમ નાગરિકો માટે પણ મહત્વની છે. ત્યારે એશિયાટિક સિંહની રક્ષણની બાબતને અગત્યની ગણીને વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓની ઉપર પુરતું ધ્યાન આપે એવું સુચન કરું છું.’

– ગાંધીનગર સુધી પડઘા પડતાં વન વિભાગમાં દોડધામ : અમરેલી જિલ્લામાં સિંહોનાં મોત મામલે ઊચ્ચ અધિકારીઓ દ્વારા રૂબરૂ નિરીક્ષણ

– જાફરાબાદ રેન્જની સમીક્ષા બાદ બીમાર સિંહોની સારવાર ચાલી રહી છે એ ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી

અમરેલી: અમરેલી જિલ્લામાં સિંહોના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એક સપ્તાહમાં ભેદી રીતે ત્રણ સિંહબાળના મોત થયા બાદ આજે વધુ એક સિંહણના મોતથી આંકડો ચાર પર પહોંચી ગયો છે. ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં થઇ રહેલા સિંહોના મોતના પગલે ગાંધીનગર સુધી પડઘા પડતા વનતંત્ર દોડતું થયું છે. 

પરિણામે સિંહોના મોતને ગંભીરતાથી લઈ આજે રવિવારે ગાંધીનગરથી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (પીસીસીએફ) જયપાલ સિંહ તેમજ જૂનાગઢના ચીફ ફોરેસ્ટર રામ રતન નાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમણે પહેલા જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલા પાસેના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં હાલમાં બીમાર સિંહોની સારવાર ચાલી રહી છે.

વનવિભાગના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસ મુજબ એનિમિયા અને નિમોનિયા જેવા સંક્રમણ સિંહોના મોત પાછળનું મુખ્ય કારણ હોવાનું લાગી રહ્યું છે. એ સાથે દરેક મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. વનવિભાગે સમગ્ર મામલે સજાગતા દાખવી છે અને જણાવ્યું છે કે હવે પ્રતિસાદ માત્ર દવાઓ કે સારવારથી નહીં પણ સમગ્ર સંસ્થાગત કામગીરીમાં સુધારાઓ દ્વારા સિંહોના જળવાઈ રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. 

– રાજુલા પંથકમાં વધુ એક સિંહણનું મોત

અમરેલી: અમરેલી જિલ્લામાં સિંહોના મોતથી ઉહાપોહ મચ્યો છે ત્યારે જ આજે રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ કુદરતી મોત હોવાનું જાહેર કરાયું હતું. જો કે, મૃતદેહને વધુ તપાસ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

– રાજુલાના ધારાસભ્યએ પણ વનતંત્રમાં જવાબદારી નક્કી કરવા માંગ કરી’તી

અમરેલી જિલ્લામાં સિંહોના મોતની ઘટના મામલે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ અગાઉ વનમંત્રીને પત્ર લખી સંલગ્ન અધિકારીઓ સામે તપાસ ચલાવીને જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોએ પણ વનવિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. જો કે, દરેક વખતે સિંહોના મોતને વનવિભાગ છુપાવવાનો અને બાદમાં કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરતું આવ્યું છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

June 22, 2026
ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…
GUJARAT

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

June 22, 2026
પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…
GUJARAT

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

June 22, 2026
Next Post
વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village…

વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village...

બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw…

બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw...

રેપના દોષિત પ્રજ્વલની જેલમાં પ્રથમ રાત, અનેક વખત રડી પડયો | Rape convict Prajwal’s first night in ja…

રેપના દોષિત પ્રજ્વલની જેલમાં પ્રથમ રાત, અનેક વખત રડી પડયો | Rape convict Prajwal's first night in ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

11 months ago
અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa…

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa…

11 months ago

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

4 months ago
કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

11 months ago
અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa…

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa…

11 months ago

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

4 months ago
કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News