![]()
અમદાવાદ : ચીનથી દુર્લભ ખનિજ મેગ્નેટનો પુરવઠો બંધ થયા પછી, તેને આયાત કરતા એકમો માટે સમયસર કરાર પૂર્ણ કરવાનું મુશ્કેલ બન્યું છે. ચીનથી દુર્લભ મેગ્નેટની આયાત કરતા એકમો હવે ફોર્સ મેજ્યુર કલમ (ફોર્સ મેજ્યુર ક્લોઝ)નો આશરો લેવાનું વિચારી રહ્યા છે. તેઓ આ સંદર્ભમાં તેમની કાનૂની ટીમની સલાહ લઈ રહ્યા છે. આ એકમો મૂળ સાધનો ઉત્પાદકોને દુર્લભ મેગ્નેટ સપ્લાય કરે છે.
આ આયાતકારો ફોર્સ મેજ્યુર જોગવાઈ લાગુ કરવાનું વિચારી રહ્યા છે કારણ કે તે સમયસર કરાર પૂર્ણ ન કરવાના કિસ્સામાં દંડ ટાળવામાં મદદ કરશે. તેમને ડર છે કે જો મૂળ સાધનો ઉત્પાદકો સમયસર સપ્લાય નહીં કરે તો તેમના પર દંડ લાદી શકે છે. જો મેગ્નેટનો પુરવઠો બંધ થઈ જાય, તો વાહન કંપનીઓ ઉત્પાદન કરી શકશે નહીં.
ચીને એપ્રિલમાં દુર્લભ ખનીજ અને મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
એપ્રિલમાં, ચીને રેર અર્થ મિનરલ્સ અને સંબંધિત મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે વિશ્વભરના ઓટોમેકર્સ, એરોસ્પેસ ઉત્પાદકો, સેમિકન્ડક્ટર કંપનીઓ અને લશ્કરી કોન્ટ્રાક્ટરો માટે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડયો હતો.
આ વર્ષે ૪ એપ્રિલથી, ચીન તરફથી ૩૫ આયાતકારોને દુર્લભ મેગ્નેટનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. તેમની આયાત માટે ચીન સરકારને કરવામાં આવેલી અરજીઓને પણ મંજૂરી આપવામાં આવી નથી. એક કંપનીએ ચીનના નવા નિકાસ નિયંત્રણ નિયમો હેઠળ અરજી કરી હતી પરંતુ તેને નકારી કાઢવામાં આવી છે.
ઓટોમોબાઈલ ક્ષેત્ર આ તત્વો પર ખૂબ નિર્ભર છે, ખાસ કરીને તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં વધુ થાય છે. આ વાહનોનું ઉત્પાદન બંધ થવાની આરે છે. ભારતમાં રોગચાળા દરમિયાન પુરવઠામાં વિક્ષેપના કિસ્સામાં ફોર્સ મેજર જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.










