Jamnagar : જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા નજીકના વિસ્તારમાં આવેલા મોમાઈ માંના મંદિરવાળી શેરીમાં આજે સવારે ભૂગર્ભ ગટરની સફાઈ થઈ ન હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા, અને વગર વરસાદે ઉપરોક્ત વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.
ઉપરાંત તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી ઉપરોક્ત વિસ્તારમાં વસવાટ કરતા નાગરીકો એ ભારે નારાજગી વ્યક્ત કરી છે, અને આ વિસ્તારની ભૂગર્ભ ગટરની તાકીદે સફાઈ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.