અમદાવાદ,બુધવાર,25 માર્ચ,2025
અમદાવાદમાં વાડજ,સતાધાર
જંકશન સહીત કુલ ૧૮ સ્થળે બ્રિજ,ફલાયઓવરબ્રિજ
બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ બ્રિજ
પ્રોજેકટ અંતર્ગત ચાલતી કામગીરી માટે સમયમર્યાદા નકકી કરાઈ હોવાછતાં હાલમાં
મંથરગતિથી કોન્ટ્રાકટરો કામ કરી રહયા હોવાનો આક્ષેપ કર્યો હતો.સમયમર્યાદા મુજબ
કામગીરી નહીં કરતા કોન્ટ્રાકટરોેને પેનલ્ટી કરવા માંગણી કરી હતી.પાંજરાપોળ
ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા જ પુરી કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને
કહયુ,કોર્ટ
મેટર ચાલતી હતી.
મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહયુ, અમદાવાદમાં કરોડો
રુપિયાનો ખર્ચ કરી બ્રિજ બનાવવા કોન્ટ્રાકટરોને કામગીરી અપાઈ છે.પરંતુ મ્યુનિસિપલ
તંત્રના એક પણ અધિકારી એ જોવા પણ જતા નથી કે જે તે વિસ્તારમાં બ્રિજની કામગીરી
નિયત સમય મુજબ ચાલી રહી છે કે કેમ?
હાટકેશ્વર બ્રિજ જે ભ્રષ્ટાચારનો બ્રિજ છે એ અંગે પણ હજુ સુધી કોઈ ચોકકસ
નિર્ણય લઈ શકાયો નથી. સતાધાર જંકશન ઉપર ફલાયઓવર બનાવવાની કામગીરી હજુ સુધી માત્ર
૫૫ ટકા જ પુરી કરી શકાઈ છે. તંત્ર કે સત્તાધીશો તો હાઈકોર્ટના આદેશને પણ સ્વીકારવા
તૈયાર નથી. પાંજરાપોળ ફલાયઓવર બ્રિજ બનાવવા એક વર્ષથી કામગીરી ખોરંભે પડી છે.
માનીતા કોન્ટ્રાકટરોને પાછલી અસરથી ભાવવધારો અપાશે
મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ શહેરમાં વિવિધ બ્રિજની
મંથરગતિથી ચાલતી કામગીરીને લઈ આક્ષેપ કરતા કહયુ,બ્રિજની કામગીરી સમયસર પુરી નહીં કરનારા તમારા માનિતા
કોન્ટ્રાકટરોને તમે પાછલી અસરથી ભાવવધારો આપવાની સાથે સમય મર્યાદા વધારી આપવાની
દરખાસ્ત પણ મંજુર કરાવી દેશો.