![]()
Vadodara : રાજ્ય સરકાર દ્વારા કામદારોનો કામકાજનો સમય 12 કલાક કરવાની ચાલતી તૈયારીઓ અંગે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા આવી કાર્યવાહીનો સખત વિરોધ કરીને રાજ્ય સરકારને કલેક્ટર દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કામદારોના કામના કલાક હાલ ચાલતા આઠ કલાકના બદલે 12 કલાક કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કામદારોની ત્રણ પાળીના બદલે બે પાળી કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. આ અંગે 1, જુલાઈ-2025થી કરવાની કોશિશ થઈ રહી છે. જેથી કામદારોનું માનસિક અને શારીરિક ધોવાણ થઈ જશે તેવો આક્ષેપ સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના અગ્રણીઓએ કર્યો હતો. આ ઉપરાંત મહિલાઓને પણ રાતપાળીમાં નોકરી કરવા બાબતે તેમની સલામતી પણ જો જોખમાશે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આવા નિર્ણયથી રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધી જશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે રાજ્ય સરકારને જિલ્લા કલેકટર દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










