
– ન્યૂઝ પોર્ટલ સામે ક્રિમિનલ બદનક્ષીના કેસમાં અવલોકન
– ન્યૂઝ પોર્ટલને જારી કરાયેલા સમન્સને સુપ્રીમમાં પડકારાયા, પક્ષકારોને નોટિસ જારી કરવામાં આવી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બદનક્ષીને ગુનાની કેટેગરીમાંથી બહાર કરી દેવાય. એટલે કે બદનક્ષી બદલ ગુનાહિત કાર્યવાહી રદ કરવામાં આવે. સામાન્ય રીતે બદનક્ષી બદલ આર્થીક નુકસાન ભરપાઇની માગ અથવા કેદની સજાની માગ કરવામાં આવતી હોય છે. જેમાં ક્રિમિનલ બદનક્ષીને રદ કરવાની વાત સુપ્રીમ કોર્ટે કરી છે.










