![]()
વડોદરા,વડોદરામાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા મહિલા એન્જિનિયરે વાંસના વેસ્ટનો ઉપયોગ કરી કોંક્રિટ રોડની આવરદા વધારવા માટે તૈયાર કરેલા સંશોધનપત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ છે.
સાઉત કોરિયાના જેજુ દ્વિપ ઉપર ટૂંક સમયમાં યોજાનારી સિવિલ એન્જિનિયરિંગ કોન્ફરન્સ ઇન ધ એશિયન રિજિયનમાં સસ્ટેનબલ ડેવલપમેન્ટ વિભાગમાં રજૂ કરવા આ સંશોધનપત્રની પસંદગી થઇ છે. માર્ગ અને મકાન વિભાગની વડોદરાની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ્વરી નાયરે કોંક્રિટની ક્ષમતા વધારવા માટે આ સંશોધન કર્યું છે. જેમાં વાંસના રેસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાંસના ઉપયોગ કરવાથી કોંક્રિટ રસ્તાઓમાં ક્રેક ઓછી પડે છે. રોડની આવરદા વધે છે, મેન્ટેનન્સ ખર્ચ ઘટે છે. વાંસ આધારિત કોંક્રિટ માર્ગો ભવિષ્યમાં શ્રેષ્ઠ ઉકેલ સાબિત થઇ શકે છે, અને પરંપરાગત કોંક્રિટ પધ્ધતિ સામે સચોટ વિકલ્પ બની શકે છે, એમ તેમનું કહેવું છે.










