image : Freepik
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતી 16 વર્ષની તરૂણી પોતાના ઘેર બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી, જે દરમિયાન વિજઆંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં નગરપાલિકાની કચેરીના પાછળના ભાગમાં રહેતી અફરોજાબેન અશરફભાઈ સમા નામની 16 વર્ષની તરૂણી કે જે ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી, જે દરમિયાન તેણીને બાથરૂમમાં એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને તેણી બેશુદ્ધ બની હતી. આથી તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા સરફરાજભાઈ મોહમ્મદભાઈ શમાએ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસ સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.