![]()
અમદાવાદ : ભારતમાં અનેક દિવસોના અંતરાળ બાદ હવે ફરી લગ્ન સીઝન શરૂ થવા જઈ રહી છે. કાર્તિક માસની દેવઉઠી એકાદશી અને નવા કેલેન્ડર મહિનાની શરૂઆતથી જ નવા હિન્દુ વર્ષની લગ્નસીઝનની શરૂઆત થઈ રહી છે.
આ અંદાજિત કુલ રકમ અગાઉની તુલનાત્મક સીઝન કરતાં ૧૦ ટકા વધુ
નવરાત્રીમાં જીએસટીમાં સરકારની રાહત બાદ બજારોમાં ભારે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળી પણ ભારતીય વેપારીવર્ગ માટે સારી રહી હોવાના આંકડા બહાર આવી રહ્યાં છે.
જોકે આ તેજીનો માહોલ આગામી લગ્નસરાની સીઝનમાં પણ ચાલુ રહેવાનો અંદાજ વેપારી એસોશિયેશને મુક્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના અહેવાલ મુજબ ભારતીય લગ્નસરાની મોસમમાં રૂ. ૬.૫ લાખ કરોડનો ધંધો થવાનો અંદાજ છે.
આ અંદાજિત કુલ રકમ અગાઉની તુલનાત્મક સીઝન કરતાં ૧૦ ટકા વધુ છે, જેમાં ૪૮ લાખ લગ્નો અને રૂ. ૫.૯૦ લાખ કરોડનો લગ્નો પાછળ ખર્ચ થયો હતો.
ઉદ્યોગ સંગઠને અહેવાલ આપ્યો છે કે આ વર્ષે ૨૦૨૫ની આ છેલ્લી સીઝનના ૪૫ દિવસમાં સમગ્ર ભારતમાં ૪૬ લાખ લગ્નોનો અંદાજ છે. એકમાત્ર દિલ્હીમાં જ આ સીઝન દરમિયાન ૪.૮ લાખ લગ્નો થવાની સંભાવના છે અને તેમાં રૂ. ૧.૮ લાખ કરોડનો ધંધો થવાની ધારણા છે.
સીએઆઈટીએ આ અભ્યાસ ૧૫ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ૭૫ મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવ્યો હતો.
૨૦૨૩માં ૩૮ લાખ લગ્નો થયા હતા અને રૂ. ૪.૭૪ લાખ કરોડનો બિઝનેસ થયો હતો. જ્યારે, ૨૦૨૨માં ૩૨ લાખ લગ્નો થયા હતા જેમાં કુલ રૂ. ૩.૭૫ લાખ કરોડનો ખર્ચ થયો હતો.









