![]()
અમદાવાદ : માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં ગયા વર્ષ દરમિયાન લોન ખાતાઓની સંખ્યામાં ૪૫૦ લાખનો ઘટાડો અને બાકી રકમમાં ઘટાડો માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ચિંતા અને તણાવનો વિષય છે અને આ ક્ષેત્રે આ મુદ્દા પર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. જરૂરિયાતમંદ લોકો ઊંચા વ્યાજ દરે ઉધાર લઈ શકે છે પરંતુ ચૂકવણી કરી શકતા નથી તેમ નાણાકીય સેવાઓ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ દ્વારા વસૂલવામાં આવતા વ્યાજ દરો ઊંચા છે. ઊંચા વ્યાજ દર વાસ્તવમાં માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓના સંગઠનમાં બિનકાર્યક્ષમતાને કારણે છે. વ્યાજ દરને વાજબી સ્તરે રાખવા એ નાણાકીય સમાવેશ માટે મહત્વપૂર્ણ છે. સપ્ટેમ્બર સુધીમાં લોન ખાતાઓની સંખ્યામાં ૪૫૦ લાખનો ઘટાડો થયો છે.
લોન ખાતાઓમાં કુલ બાકી રકમ માર્ચ ૨૦૨૪ માં રૂા. ૪.૪ લાખ કરોડથી ઘટીને સપ્ટેમ્બર ૨૦૨૫ માં ?૩.૪ લાખ કરોડ થઈ ગઈ છે. માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર આર્થિક અને સમાવેશી વિકાસનો સૌથી મહત્વપૂર્ણ સ્તંભ બની ગયું છે અને દેશમાં નાણાકીય સમાવેશ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
મોટી સંખ્યામાં ચાલુ સરકારી યોજનાઓ હોવા છતાં, હજુ પણ ધણા યુવાનોને ભંડોળ પૂરું પાડવાની જરૂર છે. સરકાર નાણાકીય સમાવેશ અને મહિલા સશક્તિકરણ માટે માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને ટેકો આપવાનું ચાલુ રાખશે, પરંતુ માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં હજુ પણ જુસ્સો અને પ્રતિબદ્ધતાનો અભાવ છે. આ ક્ષેત્રે યુવા પેઢીને આકર્ષવાની જરૂર છે.
માઇક્રોફાઇનાન્સ સામાન્ય રીતે બેંકો, નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને નેશનલ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ બેંક પાસેથી ભંડોળ મેળવે છે. તેઓ બોન્ડ દ્વારા પણ ભંડોળ એકત્ર કરે છે.
માર્ચ ૨૦૨૫ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં માઇક્રોફાઇનાન્સ ભંડોળ અડધાથી વધુ ઘટીને ?રૂ. ૫૮,૧૦૯ કરોડ થયું હતું, જે વાર્ષિક ધોરણે ૫૫.૪૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. કેરએજ ના અહેવાલમાં જણાવાયું છે કે માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં માઇક્રોફાઇનાન્સ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૪ ટકા રહેવાની ધારણા છે.










