અમદાવાદ,શનિવાર
એટીએસ દ્વારા આતંકી ઝડપી લેવા ઉપરાંત, દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે ડીજીપીએ સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ડોઝીયર તૈયાર કરવાની સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાનમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં ૩૦૬૦ જેટલા ગુનેગારોના ડોઝીયર તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ઝડપાયેલા ત્રણ આંતકીઓ દ્વારા દેશના અલગ અલગ વિસ્તારમાં રાઇઝીન નામના અતિ ગંભીર ઝેરી કેમીકલની મદદ હુમલો કરવાના મનસુબા સામે આવવાની સાથે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે ડીજીપીએ ે સતર્કતાના ભાગરૂપે ગુજરાતના તમામ શહેરોના જિલ્લા પોલીસ વડા અને પોલીસ ક્મિશનરને તેમની હદમાં આવતા તમામ પોલીસ સ્ટેશનમાં છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ડોઝીયર તૈયાર કરવા માટે સુચના આપી હતી. જ જે અનુસંધાનમાં અમદાવાદ શહેરમાં પોલીસે ૨૧૦૦ જેટલા ગુનેગારોના ડોઝીયર તૈયાર કરાયા હતા.
જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન નોંધાયેલા ૧૨૦૦ જેટલા ગુનેગારો પૈકી તપાસ કરતા ૯૬૦ ગુનેગારોની વિગતો મળી હતી. આ તમામના ડોઝીયર તૈયાર કરાયા છે. આમ, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૩૦૬૦ ગુનેગારોની વિગતો મેળવાઇ છે. રાજ્ય પોલીસ વડાએ રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં હથિયાર ધારા, એનડીપીએસ એક્ટ, એક્સપ્લોઝીવ એક્ટ, બનાવટી ચલણી નોટ, ટાડા , ગુજસીટોક અને પેટ્રોલીયમ એક્ટના ગુનાનો સમાવેશ કરાયો હતો.










