![]()
વડોદરા,પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના ભાગે આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સવારે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી દીધી હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી.
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભદ્રકચેરીની પાછળ આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં ધડાકો થતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. તેમણે પાણી છાંટી આગ બુઝાવવાની કોશિશ કરી હતી. પરંતુ, આગ મોટી હોઇ ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી. જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ બાવચાવાડના એક મકાનમાં આજે સવારે ૧૦ વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી. ઘરમાંથી ગેસના બોટલ બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.










