![]()
– વિરોધીઓ વચ્ચે સમાધાન શક્ય નથી દેશ ગૃહયુદ્ધ તરફ ધકેલાય છે
– મોહમ્મદ યુનુસ સરકાર હત્યારા ફાસીસ્ટ સમાન કામ કરે છે : ત્યાં મુક્ત અને ન્યાય યુક્ત ચૂંટણીની શક્યતા નથી
નવી દિલ્હી : બાંગ્લાદેશ તેના સ્મરણના એક સૌથી વધુ ચક્રવાતી રાજકીય વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગે આગામી ચૂંટણીઓને સદંતર અસ્વીકાર્ય ગણી છે. તે અંગે એક કડક નિવેદન પ્રસિદ્ધ કરતા પાર્ટીએ યુનુસ સરકાર ઉપર આક્ષેપ મુક્યો છે કે, તે કીલર ફાસીસ્ટની જેમ જ કાર્ય કરે છે. તે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા પૂરા સમર્થ જ નથી.
બાંગ્લાદેશ આવામી લીગે ‘ઈલેકશન-શેડયુલ’ની સમીક્ષા કરી છે. તે ચૂંટણી યુનુસ-કિલકે રચેલા ચૂંટણી પંચે જાહેર કરી છે. પરંતુ યુનુસ સરકાર જ ગેરકાયદે રચાઈ છે તે કીલર-ફાસિસ્ટ સરકાર છે. હવે તો તે સ્પષ્ટ થઈ ગયું છે કે, વર્તમાન સરકાર પૂર્વગ્રહ યુક્ત છે અને તે તેમાં જ જુઠ્ઠા, ગેરકાયદે અને પૂર્વગ્રહ ભરેલા નેતાના નેતૃત્વ નીચે ચાલે છે. તેથી તેની પાસે ન્યાય કે પારદર્શિતાની આશા જ રાખી ન શકાય.
આમાં બાંગ્લાદેશની સૌથી મોટી પાર્ટી અને યુનુસ સરકાર વચ્ચે વધી રહેલી અવિશ્વાસની ભાવના, તે દેશને રાજકીય કટોકટી તરફ ધકેલી રહી છે. એક તરફ અવિશ્વાસ વધતો જાય છે. બીજી તરફ સંસ્થાઓને પક્ષઘાત લાગતો જાય છે. આવામી લીગનાં તે નિવેદનમાં લાખ્ખો લોકોની તેમજ આવામી લીગના કાર્યકરોની પારાવાર મુશ્કેલીઓનો પડઘો પડે છે. વિરોધીઓ વચ્ચે કોઈ મંત્રણા જ થતી નથી. તેથી સમાધાન થવાની તો કોઈ સંભાવના જ નથી. ઉલટાના નવા સંઘર્ષો ઊભા થતા જાય છે. પરિણામે બાંગ્લાદેશ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે તે ભારત માટે પણ સારી સ્થિતિ નથી કારણ કે બંને દેશ વચ્ચે ૪૦૦૦ કી.મી.ની સરહદ રહેલી છે.










