![]()
– પ્રતિબંધિત વૃક્ષોને જડમુળમાંથી દૂર કરવાની માગણી
– વન વિભાગે વૃક્ષો દૂર કરવા માટે કંપનીઓને જાણ કરી છતાં પણ હજૂ સુધી દૂર કરવામાં આવ્યા નથી, તાકીદે નિકાલની માગ
બગોદરા : ધોળકા ઇગોલી રોડ પર કોનોકાર્પલ વૃક્ષો મામલે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે વન વિભાગે વૃક્ષો દૂર કરવાની જાણ કરી છતાં પણ હજુ સુધી કરવામાં આવ્યા નથી. મોટા પ્રમાણમાં વૃક્ષો હોવાથી તાકીદે નિકાલ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
ધોળકાથી ઇંગોલી રોડ પર પ્રતિબંધિત કોનોકાર્પણ વૃશ્રોને જડમૂળમાંથી દૂર ન કરવા મામલે અરજદારે માનવ અધિકારી આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં બે કંપનીઓને પણ પક્ષકાર બનાવાવમાં આવી છે. વૃક્ષો રોડની સપાટી પર આવી ગયા હોવાથી ટ્રાફિક અને અકસ્માતનો ગંભીર સમસ્યા ઉભી થઇ છે. આ વૃક્ષો પ્રર્યાવગર માટે પણ ગંભીર ખતરો છે. રાજયમાં વાવેતર પર પ્રતિબંધ છે. આ વૃક્ષો જીવસૃષ્ટિને પણ નાશ કરે છે. પાણીની લાઇનોને બ્લોક કરે છે. અન્ય વૃક્ષોને વિકાસને અટકાવે છે.
આ મામલે પ્રધાનમંત્રી પોર્ટલ પર તા. ૨૬.૦૯.૨૦૨૫ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાને રાજય વન વિભાગ દ્વારા તા. ૩.૧૧.૨૦૨૫ના રોજ તાત્કાલિક વૃક્ષો દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી. જોકે, રજૂઆત અને ફરિયાદો છતાં પણ વૃક્ષો દૂર કરવામાં આવ્યા નથી. આ વૃક્ષોને જડમૂળમાંથી દૂર કરવા માટે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી છે.










