![]()
મનરેગા યોજનાનું નામ બદલવા મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શિત કરાતા રાવપુરા પોલીસે ૫૦ કાર્યકરોની અટકાયત કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)નું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે, વીબી-જી રામ રાખવાના નિર્ણયના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો એકત્ર થયા હતા. સૌપ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે તરત જ સ્થળ પર હાજર પોલીસે તેમને અટકાવતાપોલીસ અને કાર્યકરો વચ્ચે વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટીંગાટોળી કરી ૫૦ કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસ અગ્રણીઓનું કહેવું હતું કે, કે, સરકાર મહાત્મા ગાંધીના મૂલ્યો તથા શ્રમિકોના હક છીનવી રહી છે, મનરેગા યોજના કોંગ્રેસે શરૂ કરી હતી, ભાજપના હોદ્દેદારોના નામ કૌભાડમાં ઉજાગર થતા નામ હટાવવા માંગે છે, કોંગ્રેસની ૩૦થી વધુ જનતાલક્ષી યોજનાઓના નામ ભાજપે બદલી નાખ્યા છે.










