![]()
Agniveer : ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ 2026-27 માટે અગ્નિવીર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આર્મી રિકૃટિંગ ઓફીસ, જામનગર દ્વારા આગામી તા.01/06/2026 થી તા.15/06/2026 દરમિયાન અગ્નિવીર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમાં સહભાગી થવા ઈચ્છતા જામનગર જિલ્લાના લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તા.13/02/2026થી શરૂ કરવામાં આવી છે, જે તા.01/04/2026 સુધી ચાલશે. ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
આ ભરતી મેળામાં સામેલ થવા માટે ઉમેદવારની ઉંમર 17.50 થી 22 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ 08 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. આ ભરતી પ્રક્રિયામાં માત્ર અપરિણીત પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે. ભરતી અંગેની વધુ વિગતો માટે ઉપરોક્ત સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.










