
– કેનાલમાં બાવળની ઝાડીઓથી દિવાલો તૂટવાનો ભય
– 2 વર્ષે કેનાલમાં પાણી બંધ કરી માત્ર સરકારી ચોપડે સફાઈ થતી હોવાના ખેડૂતોનો આક્ષેપ
ધ્રાંગધ્રા : નર્મદા કેનાલ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, પરંતુ ધ્રાંગધ્રા પંથકમાં કેનાલની જાળવણીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોરબી અને માળિયા બ્રાન્ચ કેનાલોમાં દર વર્ષે ઉનાળા દરમિયાન સફાઈ માટે પાણી બંધ કરવામાં આવે છે, તેમ છતાં પરિસ્થિતિ જસની તસ જોવા મળી રહી છે.
વર્ષે સફાઈની કામગીરી થતી હોવા છતાં કેનાલની અં ર અને કિનારાના રસ્તે મોટા પ્રમાણમાં બાવળની ઝાડીઓ ઊગી નીકળી છે.










