![]()
મુંબઈ : ગયા સપ્તાહના અંતે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયને ગેરબંધારણિય ઠેરવી તેને ફગાવી દેતા છેલ્લા કેટલાક મહિનાથી ઊંચા ટેરિફનો સામનો કરી રહેલા ભારત સહિતના મોટાભાગના દેશોને રાહત થઈ છે. ભારત ખાતેથી અમેરિકામાં નિકાસ થતાં માલસામાન પર હવે ૧૫ ટકા ટેરિફ લાગુ થશે જેને કારણે નિકાસને વેગ મળશે તેવી ગણતરીએ અમેરિકાની બજારોમાં હાજરી ધરાવતા ભારતના ટેકસટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના ક્ષેત્રોના શેરોમાં સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. જો કે ટેરિફ મુદ્દે ટ્રમ્પ હજુ પણ આક્રમક વલણ છોડવા તૈયાર નહીં હોવાના સંકેતે મિડકેપ શેરોમાં રોકાણકારોનું આકર્ષણ સીમિત રહ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતમાં રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યા હતો અને બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સુધારા સાથે બંધ આવ્યા હતા. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૩૪૮૬.૧૫ અને નીચામાં ૮૨૯૦૬.૮૩ વચ્ચે અથડાઈ છેવટે ૪૭૯.૯૫ વધી ૮૩૨૯૪.૬૬ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૭૭૧.૪૫ અને નીચામાં ૨૫૬૦૯.૩૫ થઈ છેવટે ૧૪૧.૭૫ વધી ૨૫૭૧૩ બંધ રહ્યો હતો. નિફટી મિડકેપમાં ૨૫૮ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૯૨૬ શેરના ભાવ વધ્યા હતા પરંતુ ૨૩૮૯માં ઘટાડો નોંધાયો હતો. ૨૦૩ શેરના ભાવ ફેરફાર વિનાના રહ્યા હતા. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૨.૦૮ લાખ કરોડ વધી રૂપિયા ૪૬૯.૧૯ લાખ કરોડ પહોંચી હતી.
અમેરિકામાં નિકાસ બજાર ાૃધરાવતી ટેકસટાઈલ કંપનીના શેરો ઊંચકાયાઃ અરવિંદ, આદિત્યમાં સુાૃધારો
અમેરિકામાં બજાર ધરાવતી ટેકસટાઈલ તથા રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રની કંપનીઓમાં લેવાલી જોવા મળી હતી. ટેરિફમાં ઘટાડો થતાં ભારતીય ટેકસટાઈલ તથા રેડીમેડ ગારમેન્ટને સ્પર્ધામાં લાભ થશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. અરવિંદ રૂપિયા ૭.૩૦ વધી રૂપિયા ૩૭૫.૨૦, આદિત્ય બિરલા રૂપિયા ૩.૭૦ વધી રૂપિયા ૧૩૦૪.૬૦, આલોક ઈન્ડ. ૦.૦૬ વધી રૂપિયા ૧૪.૭૮, કિટેકસ ગારમેન્ટ રૂપિયા ૮.૨૬ વધી રૂપિયા ૧૯૪.૨૫, સનાતન ટેકસટાઈલ રૂપિયા ૯.૩૦ ઘટી રૂપિયા ૪૧૧.૮૫ બંધ રહ્યો હતો.
એનપીએ પ્રમાણમાં નીચી રહેતા જાહેર ક્ષેત્રની બેન્કોમાં સંસૃથાકીય રોકાણકારોના આકર્ષણાૃથી મજબૂતાઈ
દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની એનપીએમાં ઘટાડો થઈ રહ્યાના સંકેતે સંસ્થાકીય રોકાણકારોની નીચા ભાવે લેવાલી નીકળી હતી. ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો પણ સાનુકૂળ જોવાયા છે. ઈન્ડિયન બેન્ક રૂપિયા ૩૬.૦૫ વધી રૂપિયા ૯૮૨.૭૫, યુનિયન બેન્ક રૂપિયા ૩.૮૦ વધી રૂપિયા ૧૯૭.૭૮, કેનેરા બેન્ક રૂપિયા ૨.૨૯ વધી રૂપિયા ૧૫૬.૪૪, પીએનબી રૂપિયા ૦.૬૮ વધી રૂપિયા ૧૩૦.૨૭, એસબીઆઈ રૂપિયા ૧૧.૭૦ વધી રૂપિયા ૧૨૨૭.૮૦ બંધ રહ્યો હતો.
એઆઈની ચિંતાને કારણે આઈટી શેરોમાં ાૃધોવાણ ચાલુઃ નિફટી આઈટી ઈન્ડેકસ ૪૫૩ પોઈન્ટ તૂટયો
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે કામકાજમાં ખલેલ પડવાની ભીતિએ આઈટી ક્ષેત્રમાંથી રોકાણકારોનો રસ ઘટી રહ્યો હોય છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલી વેચવાલી સોમવારે પણ જોવા મળી હતી. આઈટી ક્ષેત્રની કંપનીઓએ પોતાના કામકાજની પદ્ધતિમાં મોટા ફેરબદલ કરવાની જરૂર પડશે જે જંગી ઈન્વેસ્ટમેન્ટ માગી લેશે. ટીસીએસ રૂપિયા ૯.૯૦ ઘટી રૂપિયા ૨૬૭૬.૩૦, એચસીએલ ટેક રૂપિયા ૧૦.૩૦ ઘટી રૂપિયા ૧૪૨૬.૨૦, વિપ્રો રૂપિયા ૩.૯૭ ઘટી રૂપિયા ૨૦૫.૮૯, ઈન્ફોસિસ રૂપિયા ૨૫.૭૦ ઘટી રૂપિયા ૧૩૨૭.૫૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૬ ઘટી રૂપિયા ૧૪૪૦.૯૦ બંધ રહ્યો હતો. ઓરેકલ રૂપિયા ૨૭.૦૦ વધી રૂપિયા ૬૬૬૯.૫૦ રહ્યો હતો.
કૌભાંડ પ્રકાશમાં આવતા આઈડીએફસી ફર્સ્ટ બેન્કની માર્કેટ કેપમાં રૂ. ૧૧,૦૦૦ કરોડાૃથી વધુનું ાૃધોવાણ
આઈડીએફસી ફર્સ્ટ બેન્કની ચંડીગઢ શાખામાં રૂપિયા ૫૯૦ કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવતા સોમવારે બેન્કના શેરમાં કડાકો બોલાઈ ગયો હતો. ઈન્ટ્રાડેમાં ભાવમાં વીસ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. ગયા સપ્તાહ અંતે એનએસઈ પર રૂપિયા ૮૩.૫૧ બંધવાળો ભાવ સોમવારે ગબડી રૂપિયા ૭૦.૦૯ રહ્યો હતો. પરિણામે બેન્કની માર્કેટ કેપ રૂપિયા ૧૧૫૨૫ કરોડ જેટલી ઘટી રૂપિયા ૬૦૧૯૩ કરોડ પર આવી ગઈ હતી. ઊંચા મૂલ્યના ટ્રાન્ઝકસન પર સલામતિના વધુ પગલાં લાગુ કરવાની બેન્કના સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી.
એફઆઈઆઈની કેશમાં રૂ. ૩૪૮૩.૭૦ કરોડની લેવાલી જ્યારે ડીઆઈઆઈની રૂ. ૧૨૯૨.૨૪ કરોડની વેચવાલી
સોમવારે એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂપિયા ૧૫૨૯૪.૦૨ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૧૮૧૦.૩૨ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૩૪૮૩.૭૦ કરોડની નેટ લેવાલી રહી હતી. બીજી બાજુ ડીઆઈઆઈની રૂપિયા ૧૨૩૬૦.૮૬ કરોડની લેવાલી અને રૂપિયા ૧૩૬૫૩.૧૦ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૧૨૯૨.૨૪ કરોડની નેટ વેચવાલી રહી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ ભારતીય બજારમાં સક્રિય બન્યા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોની કેશમાં રૂપિયા ૧૪૭૨.૪૬ કરોડની નેટ લેવાલી રહી છે.










