ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ – 10 લાખ વીમા કવચ યોજના ના ફોમ ભરવામાં આવ્યા
પૂર્વ કચ્છ જિલ્લા ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા આજરોજ ગાંધીધામ સ્થિત સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગુજરાત પત્રકાર એકતા પરિષદ રાજ્યભરમાં દસ હજારથી પણ વધુ પત્રકારોને જોડતું મોટું સંગઠન છે.
આ બેઠક દરમિયાન સંગઠન સાથે જોડાયેલા પત્રકારોને લાભ મળે તે હેતુથી રૂ. ૧૦ લાખના અકસ્માત વીમા કવચ યોજના અંતર્ગત અનેક પત્રકારોના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સમીરભાઈ જે. મહેશ્વરી, જિલ્લા કોઓર્ડિનેટર કિશોરભાઈ ધેડા, દેપેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઈ પરમાર, પ્રકાશ એમ સાધુ, વિવેકભાઈ ડુંગરખીયા, ગોવિંદભાઈ ધેડા, નવીનભાઈ અબચુંગ, અભિષેકભાઈ ક્રિશ્ચિયન, નૂરમામદભાઈ કોરેજા, ચિરાગભાઈ દેવરીયા, વિજયકુમાર માતંગ, જીતુભાઈ વજીરાણી, મીઠુભાઈ ચૌહાણ, રાણાભાઈ આહીર, કાનજીભાઈ રાઠોડ, દીપકભાઈ સૂંઢા, કિશોરસિંહ દોલતસિંહ, ખીમજીભાઈ મહેશ્વરી, ધીરુભાઈ શ્રીમાળી, ઉદયભાઈ આચાર્ય, ચંદ્રેશભાઈ બી. પટેલ, દીપકભાઈ આહીર, મોહનભાઈ મહેશ્વરી, વિશાલભાઈ મહેશ્વરી સહિતના પત્રકારો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન જણાવાયું હતું કે જે પત્રકાર મિત્રો આ બેઠકમાં હાજર રહી શક્યા નથી તેઓ આગામી એક અઠવાડિયામાં પોતાના વીમા યોજનાના ફોર્મ ભરી જરૂરી પુરાવા દસ્તાવેજો સાથે જમા કરાવશે. ત્યારબાદ તમામ ફોર્મ ગુજરાત પત્રકાર એકતા પરિષદના મુખ્ય અધ્યક્ષશ્રીને મોકલવામાં આવશે.
આ ઉપરાંત આ બેઠક અંતર્ગત લોકભાસ્કરના વરિષ્ઠ પત્રકાર મીઠુભાઈ ચૌહાણ દ્વારા ૧૧ નિરાધાર કન્યાઓના સમૂહ લગ્ન કાર્યક્રમની કંકોત્રી પત્રકાર એકતા પરિષદ સંગઠનને અર્પણ કરવામાં આવી હતી..










