![]()
Image Source: Twitter
Kerala minister’s wife makes serious allegations: કેરળના રાજકારણમાં ખળભળાટ ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે રાજ્યના મંત્રી અને અભિનેતા કેબી ગણેશ કુમાર પર તેમની પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેર, ફોન ટ્રેકિંગ અને શારીરિક સતામણીના સનસનીખેજ આરોપ લગાવ્યા. પોલીસને ઈમરજન્સી કોલ કર્યા બાદ બિંદુ મેનને મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે ગત અઠવાડિયે તેમના ઘરમાં બનેલી એક અસહજ સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો.
કોણ છે કે.બી. ગણેશ કુમાર?
કે. બી. ગણેશ કુમાર એક પ્રખ્યાત મલયાલમ ફિલ્મ અભિનેતા અને અનુભવી રાજકારણી છે, જેઓ વર્તમાનમાં કેરળના પરિવહન મંત્રીના પદ પર કાર્યરત છે. સ્વર્ગસ્થ આર. બાલકૃષ્ણ પિલ્લઈના પુત્ર, તેઓ કેરળ કોંગ્રેસ (બી) પાર્ટીના અધ્યક્ષ છે અને 2001થી પઠાણપુરમ મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. પરિવહન મંત્રી તરીકેના પોતાના પ્રથમ કાર્યકાળ (2001-2003) દરમિયાન તેઓ પોતાની સ્વચ્છ વહીવટી છબી માટે જાણીતા હતા. તેમણે વન, રમતગમત અને સિનેમા સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગોનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની પહેલી પત્ની યામિની થૈંકચીથી કાનૂની રીતે ચર્ચિત છૂટાછેડા બાદ તેમણે 2014માં બિંદુ મેનન સાથે લગ્ન કર્યા હતા.
પત્નીના ગંભીર આરોપ
બિંદુ મેનનનો આરોપ છે કે, ‘મારા મંત્રી પતિના અનેક મહિલાઓ સાથે સબંધ રહ્યા છે, જેના કારણે મારે ઘણા મહિનાઓથી અલગ રહેવાની ફરજ પડી છે. મારા પતિ મારો ફોન ટ્રેક કરીને અને તેમના પોતાના મિત્રો સાથે અફેર હોવાનો આરોપ લગાવીને મને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગયા શનિવારે જ્યારે બિંદુ મેનન તેમના વલાકોમ ઘરના બેડરૂમમાં પ્રવેશ્યા ત્યારે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. તેમણે કેબી ગણેશ કુમારને અન્ય યુવતી સાથે રંગેહાથ પકડી પાડ્યો. બિંદુએ તેમના ફોટા પાડવા અને વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો. મંત્રીના આદેશ પર તેમના ડ્રાઈવર સંથને બળજબરીથી મારો મોબાઈલ ફોન છીનવી લીધો. અન્ય એક કર્મચારી પ્રદીપે મને બહાર બહાર કરી દઈને દરવાજો બંધ કરી દીધો.’
બિંદુ મેનને જણાવ્યું કે, ‘મેં કેરળના પૂર્વ પોલીસ મહાનિર્દેશક અને તિરુવનંતપુરમ કોર્પોરેશનના કાઉન્સિલરનો મદદ માટે સંપર્ક કર્યો હતો. તે બિંદુ મેનનના પિતરાઈ ભાઈની પત્ની પણ છે. તેમની સલાહ પર મેં પોલીસ ટોલ-ફ્રી હેલ્પલાઈન 112 પર ફોન કર્યો. પોલીસ પહોંચી પરંતુ તેમણે કહ્યું કે અમે આ મામલે હસ્તક્ષેપ ન કરી શકીએ.’
મંત્રી ગણેશ કુમારની સ્પષ્ટતા
ગણેશ કુમારે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને તેને રાજકીય રીતે પ્રેરિત અને ચૂંટણી દરમિયાન મહિલા મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રેમ એ ગુનો નથી. તેમણે દાવો કર્યો કે, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ જેવા મહાન વ્યક્તિઓને પણ તેમના અંગત જીવનને કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે 112 પર ઈમરજન્સી કૉલના અહેવાલોની મજાક ઉડાવતા કહ્યું કે, કોઈપણ વ્યક્તિ પાગલપનની સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ પોલીસનો સંપર્ક કરી શકે છે. મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે, મારું અંગત જીવન ધારાસભ્ય તરીકેના મરા વિકાસ કાર્યો પર હાવી ન થવું જોઈએ, અને કટાક્ષમાં એમ પણ કહ્યું કે મારી પાસે એક નહીં પણ 5,000 પ્રેમ છે.
તેમણે આગળ કહ્યું કે, ‘આ બધું ચૂંટણી તાણે મારી વિરુદ્ધનું કાવતરું છે. તેઓ એમ ન કહી શકે કે હું અસમર્થ કે ભ્રષ્ટ છું. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા મુદ્દાઓ સામે આવે છે. જો તમે મને પ્રેમ વિશે પૂછો તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. મારી પાસે પ્રેમ છે, ઘણા લોકો છે જેમને હું પ્રેમ કરું છું, અને ઘણા લોકો છે જે મને પ્રેમ કરે છે.’
વર્તમાન રાજનીતિક પરિણામ શું છે?
આ વિવાદથી કેરળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જે.બી. માથેરે મુખ્યમંત્રીને તાત્કાલિક કુમારને મંત્રીમંડળમાંથી હટાવવાની માગ કરી છે. બિંદુ મેનનના આરોપોની ગંભીરતાનો હવાલો આપતા તેમણે સત્તાવાર તપાસની માગ કરી છે. તેમણે રાજ્ય સરકાર પાસેથી બિંદુ મેનન માટે સુરક્ષાની પણ માગ કરી છે. આ ઉપરાંત પૂર્વ પોલીસ મહાનિર્દેશક આર. શ્રીલેખાએ જણાવ્યું કે, તેમણે બિંદુ મેનનને વલાકોમ ઘટના દરમિયાન તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપી હતી, જેનાથી મેનનના આરોપોને વધુ મજબૂતી મળી છે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને ‘મોટી ગિફ્ટ’ આપવાની તૈયારીમાં ટ્રમ્પ! ઓઈલના ભાવ પણ ઘટશે
કેએસયૂ રાજ્ય ઉપાધ્યક્ષ યધુએ ફેસબુક પોસ્ટમાં આરોપ લગાવ્યો કે મંત્રીની પત્નીને તેમના એક્સ્ટ્રા મેરિટલ અફેરની જાણ થઈ અને તેના પુરાવા રેકોર્ડ કર્યા. પોસ્ટમાં કહેવામાં આવ્યું કે મંત્રીના અંગત સ્ટાફે તેમની પત્ની પર શારીરિક હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમણે 112 પર કોલ કર્યો. પોસ્ટમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, ફરિયાદ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કેમ ન કરી.










