![]()
વડોદરાઃ વડોદરા સ્ટેશને પાંચ મહિના પહેલાં એક ૭ વર્ષની કિશોરી તેના માતા-પિતાથી વિખૂટી પડી જતાં તેને વડોદરાની સરકારી સંસ્થામાં રાખવામાં આવી હતી.વિવિધ સંસ્થાઓ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરાતાં કિશોરી કોલકાતા નજીક ૨૪ પરગના ખાતે રહેતી હોવાની માહિતી મળી હતી.
વડોદરાની બાળ કલ્યાણ સમિતિ તેમજ અન્ય સંસ્થાઓએ કોલકાતા ખાતેની બાળ સંસ્થા અને પોલીસનો સંપર્ક કરી કિશોરીના માતા-પિતાની માહિતી મેળવી હતી.પરંતુ વારંવાર કહેવા છતાં તેઓ બાળકીને લેવા આવતા નહતા.આખરે બાળકીને કોલકાતા ખાતે પહોંચી માતા-પિતાને સંસ્થામાં લાવીને સોંપવામાં આવી હતી.










