
– અસરગ્રસ્ત ઉદ્યોગોને વધારાની કોલેટરલ-મુક્ત કાર્યકારી મૂડી આપવાની ભલામણ કરી
– RBIએ MSME, નિકાસકારો અને સપ્લાય ચેઈનમાં સામેલ આનુષંગિક એકમો માટે ત્રણ મહિનાનું લોન મોરેટોરિયમ, રિસ્ટ્રકચરિંગ વિન્ડો ખોલવી જોઈએ
અમદાવાદ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે ઉદ્યોગ જગતની દિગ્ગજ સંસ્થાએ નાણા મંત્રાલયને અનેક સૂચનો કર્યા છે. સીઆઈઆઈએ મહામારી દરમિયાન અમલમાં મુકાયેલી યોજનાની જેમ નિશ્ચિત સમયમર્યાદા સાથે સંઘર્ષ સંબંધિત ઈમરજન્સી લોન, એનર્જી ઇનપુટ્સ પર ટેક્સ અને ડયુટી માળખાનું તર્કસંગતિકરણ અને કેન્દ્ર અને રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કોન્ટ્રાકટોના માટે ડિલિવરીની સમયમર્યાદા લંબાવવાનો સમાવેશ થાય છે. આ સ્કીમ માટે અંદાજે ૨.૫૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી થવાનો અંદાજ છે.










