![]()
રાજકોટમાં જૈન વિઝન-2047તરફ ડગલું : ‘શાસન ટેક સંગમ’ અને ‘હિંસા મુક્ત વિશ્વ’ અભિયાનનો પ્રારંભ : પ્રાચીન જૈન જ્ઞાન અને આધુનિક આટફિશિયલ ઇન્ટેલિજન્સનો અનોખો સમન્વય
રાજકોટ, : રાજકોટમાં આજે જૈન વિઝન- 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે ‘હિંસા મુક્ત વિશ્વ’ અને ‘શાસન ટેક સંગમ’ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તેનો હેતુ જૈન તત્ત્વજ્ઞાાનને ટેકનોલોજી સાથે જોડીને નવી પેઢી માટે જીવંત અને સુલભ બનાવવાનો છે.
પૂજ્ય આચાર્ય વૈરાગ્ય દેશનાદક્ષ હેમચંદ્રસૂરિ મહારાજની પ્રેરણાથી શરૂ થયેલી ‘હિંસા મુક્ત વિશ્વ’ પહેલમાં વૈજ્ઞાનિક અને તાકક અભિગમ દ્વારા અહિંસાના મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવાઈ રહ્યા છે, તેમાં લાખો લોકો સકારાત્મક વિચારો દ્વારા જોડાયા છે. જ્યારે ‘શાસન ટેક સંગમ’ થકી જૈન ધર્મની પરંપરાને ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષિત કરી આગામી પેઢી સુધી પહોંચાડવાનું મિશન છે. આ માટે નવા લોન્ચ થયેલા 5 AI આધારિત પ્લેટફોર્મ્સમાં (1) જૈન યુવા બોટઃ વોટ્સએપ આધારિત આ એઆઈ બોટ પ્રશ્નથી નિરાકરણ સુધીનો માર્ગ બતાવશે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જૈન ધર્મના પ્રશ્નોના શાસ્ત્ર આધારિત જવાબો આપશે. (2) ગ્રંથ એઆઈઃ પ્રાચીન હસ્તપ્રતો અને ગ્રંથોમાં રહેલા જ્ઞાાનને એઆઈ દ્વારા સેકન્ડોમાં શોધી શકાશે. (3) જૈન સંઘ મેનેજમેન્ટ પ્લેટફોર્મઃ જૈન સંઘોના વહીવટમાં પારદશતા લાવવા માટેનું સુરક્ષિત પ્લેટફોર્મ, જે ડેટા સુરક્ષા અને કાર્યક્ષમતા વધારશે. (4) જૈન સ્ટાન્ડર્ડ બુક નંબરઃ દરેક જૈન પુસ્તકને વૈશ્વિક ઓળખ આપતી યુનિક ડિજિટલ ઓળખ પદ્ધતિ. (5) વાયોલન્સ ફ્રી વર્ડ ડિઝિટલ પોર્ટલઃ અહિંસાના પ્રસાર માટેના સાહિત્ય અને માહિતીનું કેન્દ્રનો સમાવેશ થાય છે. આ પ્રસંગે આચાર્ય યશોવિજયસુરી મ.સા.એ આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં ચતુવધ સંઘ, જીવદયા પ્રેમીઓ, જૈન સંઘોના ટ્રસ્ટીઓ, વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.










