![]()
જિલ્લાનાં ૪૯ પીએચસી સેન્ટરોમાં સારવાર અપાઈ
માર્ચ-એપ્રિલમાં ડાયરીયાના કેસો વધ્યા તો ઋતુ ફેર થતા જાન્યુ. ફેબુ્ર.માં
સરદી-ઉધરસના કેસોમાં વધારો નોંધાયો
ભાવનગર – જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં વસ્તીની
દ્રષ્ટીએ જિલ્લામાંકુલ ૪૯ પ્રાથમિક આરોગ્ય સેન્ટરો કાર્યરત કરાયા છે. જ્યારે ખાસ કરીને
છેલ્લા ચાર માસની આંકડાકીય માહિતી જોતા ડાયરીયા (ઝાડા)ના કુલ ૧૮૩૧ અને શરદી-ઉધરસના
૫૧૪૭ કેસ નોંધાવા પામ્યા છે.
જેમાં ખાસ કરીને માર્ચ-એપ્રિલમાં ડાયરીયાના અને જાન્યુ. ફેબુ્ર.માં શરદી
ઉધરસના કેસો વધ્યા હતા. જ્યારે તાલુકાવાર જો વાત કરીએ તો મહુવામાં ડાયરીયાનાં સૌથી
વધુ કેસ અને પાલીતાણામાં સૌથી વધુ શરદી ઉધરસના કેસો નોંધાયા હતા.
ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાનાં ૧૦ તાલુકામાં ૪૯ પીએચસી
સેન્ટરો કાર્યરત છે. જ્યાં તબીબો દ્વારા નિયમિત ઓપીડી સેવા અપાય છે. જ્યારે
શિયાળાની સમાપ્તી અને ઉનાળાનાં પ્રારંભકાળ એટલે જાન્યુ. – ફેબુ્રઆરીના ઋતુચક્ર
ફરતા શરદી-ઉધરસનું પ્રમાણ વધતા જિલ્લામાં જાન્યુઆરી દમર્યાન ૧૬૨૬ અને ફેબુ્રઆરીમાં
૧૩૫૭ કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે માર્ચ-એપ્રિલથી ઉનાળાનો પ્રારંભ થતાં આકરી
ગરમીને લઈ ડાયરીયાના કેસોમાં વધારો થયો હતો. જે મુજબ માર્ચમાં ૪૨૮ અને એપ્રિલમાં
૬૮૫ કેસો નોંધાયા હતા. આમ છેલ્લા ચાર માસની સમરી જોઈએ તો ડાયરીયામાં ૧૮૩૧ અને શરદી
ઉધરસમાં ૫૧૪૭ દર્દી નોંધાવા પામ્યા છે. જે તમામ દર્દીઓનો આ પ્રાથમીક આરોગ્ય સેન્ટર
પરથી નિઃશુલ્ક દવા અને ઉપચારની સુવિધા અપાઈ હતી. તો બીજી તરફ છેલ્લા ચાર માસમાં
ડાયરીયાના કેસોનો અભ્યાસ કરતા મહુવામાં સૌથી વધુ ૩૨૧ કેસ નોંધાયા હતા તો શરદી
ઉધરસના સૌથી વધુ પાલીતાણા તાલુકામાં ૨૧૯૫ કેસ નોંધાવા પામ્યા હોવાનું જાણવા મળે
છે.










