
સુરત, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેમિકલ માફિયા દ્વારા પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટનાની જાણ થતાં જ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શનથી કોર્પોરેટરઓ સુરેશભાઈ ઘોમાલિયા, વિશાલભાઈ રાઠોડ, ₹ મીતાબેન મકવાણા તથા કાવ્યાબેન પટેલે અને મંત્રીના પીએ ભૌતિકભાઈ તાત્કાલિક સતર્કતા દાખવી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), સ્થાનિક પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. આરોગ્યમંત્રીએ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વાત કરીને કેમેરા ચેક કરીને તત્કાલ કેમિકલ માફિયાને પકડવા સૂચના આપી
જનતાના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને જવાબદારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.










