![]()
ત્રુટિઓ
બાબતનો અભિપ્રાય જાળવા દરેક સીટ પર ક્યુઆર કોડ લગાવાયો
અઢી
મહિનામાં ૧૭,૯૦૦ મુસાફરોએ પોતાના પ્રતિભાવ આપ્યા
ભાવનગર –
ભાવનગર એસ.ટી. વિભાગમાં બસોના સંચાલન, સ્ટાફના
સૌજન્યપૂર્ણ વ્યવહારો બાબતે ચલાવવામાં આવી રહેલી મુહીમમાં મુસાફરોએ પાંચમાંથી
૪.૭નું રેટિંગ આપ્યું છે.
એપ્રિલ
માસમાં મધ્યસ્થ કચેરીની સુચના મુજબ ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા નિગમની સેવા બાબતે
શું પ્રતિસાદ છે ? તે જાણવા, સેવાઓમાં રહેતી ત્રુટિઓ બાબતનો
સારાંશ-અભિપ્રાય મેળવવા દરેક બસોની સીટો પર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે. જે
ક્યુઆર કોડ સ્કેન કરી મુસાફરો સેવા બાબતે અભિપ્રાય જણાવી શકશે. જે સુવિધા થકી
ભાવનગર વિભાગની બસોના ચાલુ સપ્તાહ દરમિયાન ૨,૭૭૮ મળી
એપ્રિલ-૨૦૨૬થી આજદીન સુધીમાં ૧૭,૯૦૦ મુસાફરોએ પ્રતિસાદ આપ્યો
છે. જેમાં મુસાફરોએ સ્ટાફની વર્તણૂંક અને સલામતી બાબતે પાંચમાંથી ૪.૯, બસોની સ્વચ્છતા અને સમય પાલન તેમજ બસની સ્થિતિ બાબતે પાંચમાંથી ૪.૮ મળી
સરેરાશ ૪.૭ રેટિંગ આપ્યું હોવાનું વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરે જણાવ્યું છે.










