gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…

G METRO NEWS by G METRO NEWS
July 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter


અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દના અમર પ્રતિક એવા શહીદ વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીની સ્મૃતિમાં જમાલપુર પગથિયા સામે આવેલા વસંત-રજબ ચોક ખાતે સ્થિત વસંત-રજબ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલ મિશ્રા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનોએ બંને શહીદોના બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને કોમી એકતા અને ભાઈચારાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે વસંત-રજબ સ્મૃતિ પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણી કોમી એકતા અને ભાઈચારાના જીવંત પ્રતિક હતા. તેઓ યુવા પેઢી માટે માર્ગદર્શક સમાન રહ્યા છે અને તેમની શહાદત સમાજ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. આવા મહાન બલિદાનને આવનારી પેઢીઓ સતત યાદ રાખે તે માટે આ પ્રકારના સ્મૃતિ કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે.

ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈ, 1946ના રોજ અમદાવાદમાં નીકળેલી રથયાત્રા દરમિયાન કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. તે સમયે હિન્દુ સમાજના વસંતરાવ હેગિષ્ટ અને મુસ્લિમ સમાજના રજબઅલી લાખાણી તોફાનગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ઉશ્કેરાયેલા ટોળાંને શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે સમજાવી રહ્યા હતા.

પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં બંનેએ નિર્ભયતાપૂર્વક ટોળાં સામે ઊભા રહી, “કોઈને મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો,” એમ કહી લોકોના જાનમાલની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તેમના આ અદ્વિતીય બલિદાનને કારણે તેઓ હિન્દુ-મુસ્લિમ એકતા અને માનવતાના અમર પ્રતિક તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.

વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીના આ અમૂલ્ય બલિદાનને ચિરંજીવ રાખવા માટે અમદાવાદની ગાયકવાડ હવેલી ખાતે વસંત-રજબ બંધુત્વ સ્મારક મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ તેમની આ અસાધારણ કુરબાનીને બિરદાવી હતી અને તેમના સાહસ તથા માનવતાની ભાવનાની પ્રશંસા કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા આ સ્મૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીના બલિદાનને શ્રદ્ધાપૂર્વક વંદન કરીને સમાજમાં શાંતિ, સૌહાર્દ, ભાઈચારો અને કોમી એકતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ

એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન ...

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

9 months ago
વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

1 year ago
ભોજશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાઝ પણ થશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Bhojshala Controversy:…

ભોજશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાઝ પણ થશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Bhojshala Controversy:…

5 months ago
વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

9 months ago
વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

1 year ago
ભોજશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાઝ પણ થશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Bhojshala Controversy:…

ભોજશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાઝ પણ થશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Bhojshala Controversy:…

5 months ago
વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News