![]()
– ઓટોમેશન વધી જતાં આવકવેરા અને જીએસટીની ચોરીમાં ખાસ્સો ઘટાડો થયો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
આવકવેરામાં ફેસલેસ આકારણીની સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો અને ઓનલાઈન રિફંડ ટ્રાન્સફર કરવાની સિસ્ટમ આવી તથા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીઓના રજિસ્ટ્રેશન ઓનલાઈન થવા માંડયા અને ઈ-ઇન્વોઇસિંગની પ્રથા દાખલ કરવામાં આવી તેને પરિણામે આવકવેરાની અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરીમાં ઘટાડો થયો હોવાનું ૧૫મી ડિસેમ્બરે લોકસભામાં કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.
નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ લોક સભામાં એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે દરેક વેપારીઓના ઇન્વોઇસનું મેચિંગ આપોઆપ જ સિસ્ટમમાં થઈ જવાની પ્રક્રિયા થઈ જતી હોવાને કારણે જીએસટીમાં ચોરી કરવાની સંભાવના અત્યંત ઓછી થઈ ગઈ છે. તેમ જ સમગ્ર વહીવટમાાં પારદર્શકતા વધી ગઈ છે. જીએસટીમાં આવેલા ઓટોમેશનને પરિણામે સપ્લાયરની ટેક્સની જવાબદારી કેટલી આવે છે અને ખરીદનારને કેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર થાય છે તે ઓનલાઈન આપોઆપ જ રિફ્લેક્ટ થઈ જાય છે. ઈ-ઇન્વોઇસની સિસ્ટમ આવતા બિલ બનાવવામાં થતી માનવીય ભૂલ ઓછી થઈ ગઈ છે. તેમ જ સિસ્ટમ સાથે જીએસટી રિટર્ન ફાઈલ કરવાની કામગીરી અત્યંત સરળ બની ગઈ છ. તેમાાંય રિટર્નના ફોર્મમાં કેટલીક માહિતી સિસ્ટમમાં ભરાયેલી જ આવતી હોવાથી પણ રિટર્ન ફાઈલ કરવાની કામગીરી અત્યંત સરળ બની ગઈ છેે. તેમ જ જીએસટીના કાયદાનો અમલ કરાવવો બહુ જ સરળ બનવા માંડયો છે.
બીજીતરફ આવકવેરાના રિટર્નની ફેસલેસ એસેસમેન્ટની સિસ્ટમને પરિણામે ડિપાર્ટમેન્ટને કેટલી આવક થશે તેનો અંદાજ બાંધવો સરળ બન્યો છે. આ સાથે જ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારાઓ અને જીએસટીનું રજિસ્ટ્રેશન લેનારાઓ વધ્યા છે. પરિણામે વેરાની આવક પણ વધી રહી છે. તેથી જ માળખાકીય સુવિધાઓ વધારવા માટના કામના ખર્ચમાં વધારો થશે.
સરકારે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક વેરિફિકેશન ટુલનો ઉપયોગ શરુ કરીને આવકવેરાને લગતી કરદાતાઓની અને જીએસટીના વેપારીઓની માહિતી એકત્રિત કરવાનું આસાન બન્યું ચે. તેને પરિણામે જીએસટીના રજિસ્ટ્રેશન ન લેનારાઓ રજિસ્ટ્રેશન લેતા થઈ ગયા છે. તેમ જ યોગ્ય કરદાતાઓને આપોઆપ જ રિફંડના નાણાં મલતા થઈ ગયા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલને કારણે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડી પાડવામાં સફળતા મળીહતી. તેની સાથે જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે કરેલું ોર્મ સરળ હશે કે પછી ગૂંચવાડો વધારનારું હશે તેનો અંદાજ પણ મળી શકે છે. રિફંડ માટેની ખોટી અરજી કરનારાઓને પકડી પાડવા પણ સરળ બન્યા છે.










