ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના નવા જિલ્લા અધ્યક્ષની નિયુક્તિ અને પાર્ટી કાર્યાયલનો આરંભ કરાયો.
NDA સાથે સંલગ્ન રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ગાંધીનગર શહેર અને જિલ્લા અધ્યક્ષ તરીકે તરુણસિંહ વાઘેલાની નિયુક્તિ કરવામાં આવી અને પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે RLD ગુજરાતના અધ્યક્ષ પ્રકાશ રાજપૂત, ઉત્તર પ્રદેશથી ઉપસ્થિત ઓ ડી ત્યાગી, અમદાવાદ અધ્યક્ષ જગદીશ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રકાશ રાજપૂત દ્વારા રીબીન કાપી પાર્ટીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું તો ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ તરુણસિંહ વાઘેલાને સન્માનિત કરતા સર્ટિફિકેટ સાથે ગાંધીનગર જિલ્લાની કમાન સોંપવામાં આવી હતી જેમને ઉપસ્થિત આશરે 300થી વધુ કાર્યકરો અને લોકોએ વધાવ્યા હતા.
આ અવસરે ચૌધરી ચરણસિંહની નીતિઓ, સાથે સાથે યુવા અને મહિલા સશક્તિકરણ તેમજ તમામ વર્ગોને એકત્ર કરી પાર્ટીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત NDA સાથે મળી ચૂંટણીઓમાં પણ પાર્ટી ઝંપલાવશે અને ખેડૂતો અને મહિલાઓ માટે સેવાકીય કર્યો કરશે.










