![]()
બ્રાહ્મણોએ ડર્યા વગર યજ્ઞાનું કાર્ય ચાલુ રાખ્યું : સિંહોને પણ કોઈ ખલેલ ન પહોંચતી હોવાથી યજ્ઞા પૂર્ણ થયો ત્યાં સુધી ધામા નાખ્યા : ગિરનારનાં પેટાળમાં બનેલી અદભુત ઘટનાનો વીડિયો વાયરલ
જૂનાગઢ, : ગિરનાર જંગલની એક અદભુત ઘટના સામે આવી છે. ગિરનારના પેટાળમાં આવેલ ખોડિયાર મંદિરે યજ્ઞા ચાલતો હતો તેવામાં યજ્ઞા કુંડ પાસેથી પસાર થયેલા સિંહો મંત્રોચ્ચાર સાંભળી યજ્ઞા કુંડથી થોડે દૂર બેસી ગયા હતા. જ્યાં સુધી યજ્ઞાનું કાર્ય ચાલ્યું ત્યાં સુધી ત્રણેય સિંહ શાંતિથી બેસી મંત્રોચ્ચાર સાંભળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સિંહો પણ નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના સાંભળવા બેસી રહ્યા હતા.
સિંહ એ માતાજીનું વાહન છે. ગિરનાર જંગલમાં અનેક ધામક જગ્યાઓ આવેલી છે અને ત્યાં સિંહ સહિતના અનેક વન્ય પ્રાણીઓનો વસવાટ પણ છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલતો હતો ત્યાં જૂનાગઢની નજીક આવેલા પાદરીયા રોડ પર ભોલેબાબા ગૌશાળાની નજીક આવેલા ખોડીયાર માતાજીના મંદિરે ગઈકાલે વિજયા દશમી નિમિત્તે યજ્ઞાનું આયોજન હતું. આ યજ્ઞાના કાર્ય દરમિયાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞાના મંત્રોચ્ચાર શરૂ હતા તેવામાં ત્રણ સિંહનું જૂથ ત્યાં આવી ચડયું હતું. બ્રાહ્મણો પણ ગિરનાર અને સિંહોથી વાકેફ હોવાથી તેમણે કોઈપણ જાતના ડર વગર પોતાના મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા અને મંત્રોચ્ચાર દરમિયાન સિંહને પણ કોઈ ખલેલ ન પહોંચતી હોય તેમ સિંહો પણ ત્યાં ને ત્યાં બેઠા રહ્યા હતા. જ્યાં સુધી યજ્ઞા ચાલ્યો ત્યાં સુધી સિંહો નિષ્ફિકર યજ્ઞા કુંડની નજીક જ બેઠા રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.










