![]()
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી
રિક્ષામાં મુસાફરી કરી રહેલાં સચિવાલયના વર્ગ ૪ના કર્મચારીને માથામાં ઇજા થતાં ૯ ટાંકા લેવામાં આવ્યાં
ગાંધીનગર : પાટનગરના પહોળા અને સીધા મુખ્ય માર્ગો પર પુરપાટ ગતિએ વાહનો
ચલાવવાના જાનલેવા પરિણામો આવ્યાના દાખલા અનેકવાર બની ચૂક્યા છે. આવા જ એક
કિસ્સામાં ઘ રોડ પર તેજ ગતિએ દોડતી રીક્ષા ડિવાઇડર સાથે અથડાઇ પડયાના પગલે માથામાં
ઇજા થવાથી રીક્ષાના પ્રૌઢ ચાલકનું મૃત્યુ થયુ હતું. જ્યારે રીક્ષામાં મુસાફરી કરી
રહેલાં સચિવાલયના વર્ગ ૪ના કર્મચારીને માથામાં ઇજા થતાં ૯ ટાંકા લેવામાં આવ્યા
હતાં.
માર્ગ અકસ્માતના આ બનાવમાં રીક્ષાના ચાલક સેક્ટર ૭-બીમાં
પ્લોટ નંબર ૬૭૧-૧માં રહેતાં ૫૧ વષય કમલેશભાઇ સુખદેવભાઇ વણઝારાનું સિવિલ
હોસ્પિટલમાં થોડી મિનીટોની સારવારના અંતે મૃત્યુ થયુ હતું. અકસ્માતના બનાવ સંબંધે
મૃતકની રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા નવા સચિવાલયમાં સ્વણમ સંકુલના ૩જા માળે
આવેલી કચેરીમાં રોજમદાર પટાવાળા તરીકે નોકરી કરતાં અને સેક્ટર ૪બીમાં પ્લોટ નંબર
૧૧૩૯-૧માં રહેતા કિરણ મફતલાલ પુરાણીએ ફરિયાદ નોંધાવતા સક્ટર ૭ પોલીસ દ્વારા
ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે ગઇકાલે સાંજે કિરણ
પુરાણી નોકરી પુરી કરીને સચિવાલયની બહાર આવી અજાણ્યા બાઇક ચાલક પાસે લિફ્ટ લઇ ઘ ૫
પહોંચ્યો હતો. ત્યાંથી ઘરે જવા માટે મૃતકની રીક્ષા ભાડે કરી હતી. મૃતકે ઘ ૪
અન્ડરપાસ પસાર કર્યા બાદ પુરઝડપે રીક્ષા ભગાવી હતી.
દરમિયાન કાબુ ગુમાવતા રીક્ષા ડિવાઇડર સાથે અથડાઇ પડતા બન્ને
ઉછળીને ડિવાઇડર પર પટકાતાં બન્ને માથામાં ઇજા થઇ હતી. સ્થળ પર એકઠા થયેલા પૈકી
કોઇએ ૧૦૮ને બોલાવ્યા બાદ બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
કિરણભાઇને માથામાં ૯ ટાંકા લેવા પડયા હતાં. દરમિયાન ચાલુ સારવારમાં જ રિક્ષા ચાલક
કમલેશભાઇનું મૃત્યુ હતું.










