અમદાવાદ, સોમવાર
સરદારનરમાં ગૃહકલેશના કારણે મહિલા રીયાઇને પિયરમાં રહેવા માટે આવી હતી. જ્યાં જમાઇએ આવીને મારી પત્નીને કેમ મોકલાત નથી કહીને ગાળો બોલીને તકરાર કરી હતી. સસરાએ ગાળો બોલાવાની ના પાડતાં ઉશ્કેરાઇને જમાઇએ ચાકુથી હુમલો કરીને સસરાને ખભે તથા પેટમાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા એટલું જ નહી જમાઇના ભાઇએ પણ લાતો મારીને નીચે પાડીને ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગે સરદારનગર પોલીસે બે ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મારી પત્ની ગુંડીને મોકલી દો કહીને ગાળો બોલીને સસરાને ખભે, પેટમાં ચાકુના ઘા માર્યા આરોપીના ભાઇએ લાતો મારી નીચે પાડયા
સરદારનગરમાં ભીલવાસ પાસે રહેતા આધેડે સરદારનગર પોલીસ સ્ટેશનમાં કોતરપુર ખાતે રહેતા જમાઇ તથા તેના ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરી ગૃહ કલેશના કારણે રિસાઇને પિયરમાં રહેવા માટે આવી હતી બીજીતરફ ફરિયાદી ત્રણ દિવસ પહેલા રાતે તેમના દિકરાના ઘરે જમવા માટે ગયા હતા.
જ્યાં જમાઇ અને તેના ભાઇએ આવીને જોરજોરથી બુમો પાડીને મારી પત્નીને કેમ મોકલાત નથી કહીને ગાળો બોલીને તકરાર કરી હતી. સસરાએ ગાળો બોલાવાની ના પાડતાં ઉશ્કેરાઇને જમાઇએ ચાકુથી હુમલો કરીને સસરાને ખભે તથા પેટમાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા. આ સમયે જમાઇના ભાઇએ પણ લાતો મારીને નીચે પાડીને માર માર્યો હતો. આ બનાવ અંગે સરદારનગર પોલીસે બે ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં ગંભીર રીતે ઘાયલ ફરિયાદી સારવાર હેઠળ છે.










