![]()
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે ગઈકાલે સાંજે 6:30 વાગ્યાથી મોડી રાત સુધી એસ્ટેટ શાખાની 5 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કુલ 552 કિઓસ્ક બોર્ડ, 213 હોર્ડિંગ્સ તેમજ 644 ફ્લેગ દૂર કરવામાં આવ્યા છે. આ તમામ સામગ્રી આચારસંહિતાના ભંગરૂપ હોવાથી તેને કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત આજે સવારથી પણ ટીમો દ્વારા શહેરમાં કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા નિયમબદ્ધ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય.










